ગુજરાત

gujarat

By

Published : Jul 23, 2021, 7:01 PM IST

ETV Bharat / city

ગાંધીનગરના રાંધેજામાં Electricity Problem: 4 મહિનાથી 20 સોસાયટીઓમાં રોજ લાઈટ જતી રહે છે

ગાંધીનગર કોર્પોરેશન ( Gandhinagat Corporation ) વિસ્તારમાં આવતા રાંધેજાની 15થી 20 સોસાયટીઓમાં છેલ્લા 4 માસથી લાઈટ જતી રહેતી ( Electricity Problem ) હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.

ગાંધીનગરના રાંધેજામાં Electricity Problem: 4 મહિનાથી 20 સોસાયટીઓમાં રોજ લાઈટ જતી રહે છે
ગાંધીનગરના રાંધેજામાં Electricity Problem: 4 મહિનાથી 20 સોસાયટીઓમાં રોજ લાઈટ જતી રહે છે

  • કોર્પોરેશન વિસ્તારમાં જ લાઇટ જવાની સમસ્યા
  • લોકોએ જીઈબીમાં રજૂઆત કરી પરંતુ બહાના બતાવે છે
  • સોસાયટીઓમાં અવારનવાર કલાકો સુધી લાઈટો જતી રહે છે


ગાંધીનગર :રાજ્યના પાટનગરથી ( Gandhinagat Corporation ) આશરે 3થી 5 કિમી દૂર આવેલા રાંધેજા ગામમાં રોજ લાઈટ જતી ( Electricity Problem ) રહે છે. લાઈટ જવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ પ્રકારની સમસ્યા વારંવાર થતી હોવાથી તંત્રને રજૂઆતો કરવા છતાં પણ લાઈટ જવાની સમસ્યા આજે પણ ચાલુ છે. રજૂઆતો કરવા છતાં પણ કોઈ આ વાત સાંભળતું નથી જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

એક બાજુ ગુજરાત મોડલની વાતો થાય છે તો બીજી બાજુ પાટનગરમાં લાઈટના ધાંધિયા
રાંધેજામાં રહેતા આશિષ ચૌધરીએ કહ્યું કે, "4 મહિનાથી રોજ લાઈટ જતી રહે છે. આ પહેલા રોજ રાત્રે 4 કલાક ( Electricity Problem ) લાઈટ જતી રહેતી હતી. જીઈબીમાં રજૂઆત કરી હતી. લાઇટનો પણ ચેન્જ નથી કરતા, ડિવિઝન પણ અલગ નથી કરતા. 20 જેટલી સોસાયટીઓમાં આ તકલીફ છે. અત્યારે થોડી સમસ્યા હાલ થઈ છે. પરંતુ હજુ પણ એક બે કલાક તો ક્યારે આખી રાત લાઈટ જતી રહે છે."એક બાજુ ગુજરાત મોડલની વાતો સરકાર કરે છે તો બીજી બાજુ ગાંધીનગરથી ( Gandhinagat Corporation ) થોડે દૂર કોર્પોરેશન વિસ્તારની જ આ પ્રકારની સમસ્યા છે.
આ પણ વાંચોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભયના કારણે ગાંધીનગરમાં Corona Testing વધારાયું
અનેક રજૂઆત કરવા છતાં કોઈ સમાધાન નહીં
લોકો રાત્રી દરમિયાન લાઈટ જવાના ( Electricity Problem ) કારણે મુશ્કેલીમાં મુકાય છે. આ પહેલા ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જીઈબીમાં અનેક વખત રજૂઆતો કરી આ ઉપરાંત વારંવાર ફોન કર્યા છતાં પણ ત્યાંના લોકો ક્યારેક ફોન ઉપાડતા નથી અને ઉપાડે છે તો ક્યારે આ સમસ્યાનું નિવારણ થશે કે નહીં તેનો જવાબ પણ મળતો નથી. રાંધેજા વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં દરરોજ રાત્રે કલાકો સુધી લાઈટો જતી રહે છે. જલદીથી આ પ્રકારની સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ Hurricane Taukte kills 3, power outages in 1953 villages, affects 16,500 huts

ABOUT THE AUTHOR

...view details