ગુજરાત

gujarat

Bjp Vs Congress on Electricity : વીજ કટોકટી દૂર કરવા વાઘાણીનું આશ્વાસન, તો સામેપક્ષે કોંગ્રેસે કરી દીધી આવી માગ

By

Published : Mar 25, 2022, 4:51 PM IST

ખેડૂતોને 8 કલાક વીજળીના મુદ્દે (Bjp Vs Congress on Electricity )આજે ગાંધીનગરમાં ગરમી ફરી વળી છે. ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે વીજ કટોકટી છે (Electricity crisis in Gujarat ) અને સમસ્યા દૂર કરવા સરકાર તૈયાર છે. તો આ વાતે કોંગ્રેસના હર્ષદ રીબડીયાએ ઉદ્યોગગૃહોને વીજળી કાપ (Congress demands on power issue)આપવા સંભળાવી દીધું છે.

Bjp Vs Congress on Electricity : વીજ કટોકટી દૂર કરવા વાઘાણીનું આશ્વાસન, તો સામેપક્ષે કોંગ્રેસે કરી દીધી આવી માગ
Bjp Vs Congress on Electricity : વીજ કટોકટી દૂર કરવા વાઘાણીનું આશ્વાસન, તો સામેપક્ષે કોંગ્રેસે કરી દીધી આવી માગ

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોને પૂરતી વીજળી નહીં (Bjp Vs Congress on Electricity ) મળી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવતાં શર્ટ ઉતારીને વિરોધ કર્યો હતો. ત્યારે હવે ખેડૂતોની વીજળી બાબતે (Electricity crisis in Gujarat ) ભાજપ અને કોંગ્રેસ આમનેસામને આવ્યા છે. ભાજપ સરકારના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghan's statement on power issue )પણ વીજળીની કટોકટી હોવાનું મીડિયા સમક્ષ સ્વીકાર્યુ છે.

Bjp Vs Congress on Electricity : વીજ કટોકટી દૂર કરવા વાઘાણીનું આશ્વાસન, તો સામેપક્ષે કોંગ્રેસે કરી દીધી આવી માગ

વીજળીની સમસ્યા છે પણ દૂર થશે : જીતુ વાઘાણી-વીજળીની બાબતે રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે તમામ વસ્તુઓનો સંગ્રહ થઈ શકે છે પરંતુ પાણી અને પવનનો સંગ્રહ થઇ શકતો નથી. જ્યારે વીજળી ડિમાન્ડ અને સપ્લાયના આધારે આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો બાબતે નિવેદન આપ્યું હતું કે હાલમાં બેથી ચાર દિવસ સુધી વીજળી બાબતે ક્રાઇસિસ (Electricity crisis in Gujarat ) ચાલી રહr છે અને સમસ્યા છે. કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે છે જ્યારે વર્ષોથી નર્મદા ખેડૂતો અને વીજળી છે ત્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે કેમ કશું કામ કર્યું નહીં. જ્યારે ભાજપ સરકારે આ વ્યવસ્થા કરી એટલે જ અત્યારે વીજળીની માગમાં વધારો થયો છે. વર્ષ 1960થી 1995 સુધી રાજ્યમાં ફક્ત 5,55,551 જેટલા જ ખેડૂતોના વીજ જોડાણ હતાં, ત્યારબાદ 1995થી આજ દિન સુધીમાં કુલ 14,63,739 ખેડૂતોને વીજ જોડાણ છે. કોંગ્રેસની સરકારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ખેડૂતો માટે કરી ન હતી. ત્યારે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને જે નાની મોટી તકલીફ પડી રહી છે તેનો પણ ઉકેલ (Jitu Waghan's statement on power issue )લાવવામાં આવશે.

પડતર વીજ કનેક્શન પૂર્ણ કરવામાં આવશે- 48 કનેક્શનની બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં કેટલા પણ ખેડૂતોને વીજ કનેક્શનની અરજી (Electricity crisis in Gujarat )પડતર છે. તે તમામ ભાઈઓને કરવામાં આવશે અને તમામ બાકી રહેલા ખેડૂતોને પણ વીજ જોડાણ આપવામાં આવશે.

ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા - ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘના આગેવાન અને ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખેડૂતોને વીજળી બાબતે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે સૌરાષ્ટ્રના ખેડૂતોને 48કલાકમાંથી માત્ર બે કલાક જ વીજળી મળી રહી છે અને ખેડૂતો ત્રાહીમામ (Electricity crisis in Gujarat )પોકારી ઉઠયા છે. ખેડૂતો અત્યારે ખેતરમાં પાકનું વાવેતર કરી બેઠા છે અને આ જ સમયે વીજળી ન મળતાં તેમને ખાતર અને અન્ય પણ નુકશાન થઇ રહ્યું છે. માત્ર મોટા ઉદ્યોગકારોને એક કલાક જ વીજળી કાપ (Congress demands on power issue )મૂકવામાં આવે તો પણ ખેડૂતોના પ્રશ્નો સરળતાથી ઉકેલ થઈ શકે છે અને ખેડૂતોને પૂરતી વીજળી પણ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે ઉદ્યોગો પાસે તો જનરેટર પણ છે પરંતુ ખેડૂતો પાસે જનરેટરની કોઇ જ વ્યવસ્થા અને સુવિધા પણ નથી ત્યારે વીજળીની ઘટના કારણે ખેડૂતોને કરોડોનું નુક્સાન જવાની શક્યતા છે જે નુકશાનનો આંકડો અંદાજ પણ લગાવી શકાય નથી.

વીજળી આપશે તો ગૃહમાં સરકારનું સન્માન કરીશું - કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂત બાબતે વધુમાં નિવેદન કર્યું હતું કે જો વીજળીનો પ્રશ્ન જે છે તે વહેલી તકે પૂર્ણ થઈ જશે અને રાજ્યના ખેડૂતોને આઠ કલાક પૂરતા પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થશે તો અમે વિધાનસભાગૃહમાં(Gujarat Assembly 2022 ) રાજય સરકારનું સન્માન પણ કરીશું. પરંતુ જો વીજળી નહીં (Electricity crisis in Gujarat ) મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ લલિત વસોયાએ આપી છે જ્યારે અત્યારે ખેડૂતો સ્વયંભૂ રીતે ભેગા થઈને સરકારનો વિરોધ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ લલિત વસોયા એ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details