ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયત્નો - લાયસન્સને રીન્યુ કરાવવું

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ઉદ્યોગોને આકર્ષિત કરવા અને વધારે પ્રમાણમાં રોજગારીની તકો ઉભી કરવાના હેતુથી કોવિડ-19 મહામારીની સ્થિતિમાં મોટાભાગના શ્રમ કાયદાઓમાંથી મુક્તિની જાહેરાત કરી છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયત્નો
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયત્નોજ્ય સરકારના પ્રયત્નો

By

Published : Nov 28, 2020, 2:46 AM IST

  • રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લેબર અને ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન ઍક્ટમાં સુધારાઓ કરાયા
  • 50થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની નહીં
  • લાયસન્સને રીન્યુ કરાવવું, રજિસ્ટ્રેશન અથવા લાયસન્સનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ કરાવવું તેમજ રજિસ્ટ્રેશન અને લાયસન્સનું કામચલાઉ સર્ટિફિકેટ કરાવવાની પણ જરૂર રહેતી નથી

ગાંધીનગરઃકોરોનાની મહામારીને પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગોને મદદ કરવાના હેતુથી રાજ્ય સરકારે 26 નવેમ્બર, 2020ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ, 1970) અને ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસિસ) એક્ટ, 1979માં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે.

કોરોના મહામારીમાં ઉધોગોને આ સુધારથી ફાયદો

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, કોરોનાને લીધે ઊભી થયેલી વર્તમાન સ્થિતિ પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગોને મદદ કરવા તેમજ નવીન રોકાણને આકર્ષવા માટે રાજ્ય સરકારે શ્રમ કાયદાઓમાં અનેક રાહતોની જાહેરાત કરી છે અને હવે કેટલાંક વધુ સુધારાઓ પણ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક સુધારાઓ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. જાહેરનામામાં સૂચવ્યા મુજબ, કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1972 માં નિયમો 24, 26, 27મા ફેરફાર કરવામાં આવ્યો છે, કે 50થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની થતી નથી.

લાયસન્સની માન્યતા હવે ફોર્મ-Vમાં દર્શાવેલા સમયગાળા સુધી અમલમાં રહેશે

નિયમ 27મા કરવામાં આવેલા સુધારા પ્રમાણે, નિયમ 25 અંતર્ગત લાયસન્સની માન્યતા હવે ફોર્મ-V માં દર્શાવેલા સમયગાળા સુધી અમલમાં રહેશે, જે આ નોટિફિકેશન પહેલા માત્ર બાર મહિના સુધી જ અમલમાં રહેતી હતી. નિયમ 29, 30 અને 32ને નાબૂદ કરવામાં આવશે. આ નિયમો લાયસન્સને રિન્યુ કરાવવું, રજિસ્ટ્રેશન અથવા લાયસન્સનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ કરાવવું તેમજ રજિસ્ટ્રેશન અને લાયસન્સનું કામચલાઉ સર્ટિફિકેટ કરાવવું, તે અંગેના હતા, જેની હવે જરૂર રહેતી નથી.

નોકરીદાતાઓએ હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે

વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, આ સુધારાને કારણે એમ્પ્લોયર્સને લાંબા સમય સુધી કામ કરવા માટે ફક્ત એક જ વખત રજિસ્ટ્રેશન અને લાયસન્સ લેવાની ફ્લેક્સિબિલિટી મળશે અને રિન્યુઅલ પ્રક્રિયા માટે તેમને દર વર્ષે શ્રમ વિભાગની ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.

આ જ પ્રકારે, અન્ય એક નોટિફિકેશન દ્વારા ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસિસ) (ગુજરાત) રૂલ્સમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં નિયમ 14 અને 15ને નાબૂદ કરવામાં આવ્યા છે, જે લાયસન્સને રિન્યુ કરાવવા સંબંધિત હતા.

ABOUT THE AUTHOR

...view details