- 4 વર્ષથી સતત કરવામાં આવી રહી છે રજૂઆત
- રાજ્યમાં TET-2 ના ઉમેદવારો નોકરીથી વંચિત
- સરકારી પરીક્ષા કરી પાસ પણ નોકરી ન મળી
- હવે નોકરી નહીં તો સત્યાગ્રહ ખાતે આંદોલનની ચીમકી TAT ઉમેદવારો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષકોની ભરતી કરવાની માગ
ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. ત્યારે આજે સોમવારે TET-2 પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તેઓએ શિક્ષણ નિયામકને આવેદનપત્ર આપીને TET-2 ઉમેદવારોની જલદીમાં જલદી નિમણૂક થાય તેવી પણ માગ કરી હતી. જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની પણ ચીમકી આપી હતી.
47,000 ઉમેદવારોબેરોજગાર 6,500 જગ્યાઓ ખાલી
TET-2 આંદોલનના આગેવાન હરદેવસિંહ વાળાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 47,000 વિદ્યાર્થીઓ બેરોજગાર છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 65,000થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારની ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી.