ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર મ.ન.પા સહિત 29 નગરપાલિકાઓની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર, જાણો ક્યાં ક્યારે યોજાશે મતદાન - ગાંધીનગર મ.ન.પા

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે સોમવારે ગાંધીનગર મ.ન.પા. સહિત રાજ્યભરની 29 નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેરાત કર્યો છે. તો ગાંધીનગર સિવાય અન્ય કઈ નગરપાલિકામાં ક્યારે ચૂંટણીજંગ જામશે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ...

ગાંધીનગર મ.ન.પા સહિત 29 નગરપાલિકાઓની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર
ગાંધીનગર મ.ન.પા સહિત 29 નગરપાલિકાઓની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર

By

Published : Sep 6, 2021, 7:20 PM IST

  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાઈ જાહેરાત
  • 3 ઓક્ટોબરના દિવસે થશે મતદાન પ્રક્રિયા
  • કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવશે ચૂંટણી

ગાંધીનગર: સમગ્ર દેશ અને રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેર ત્રાટકી હતી. જેને લઈને એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને 29 નગરપાલિકાની 45 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. જે મોકૂફ રાખ્યા બાદ આજે સોમવારે સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર કોર્પોરેશન સહિત ૨૯ નગરપાલિકાની 45 બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મ.ન.પા સહિત 29 નગરપાલિકાઓની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર
વિગતવાર ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખ 6 સપ્ટેમ્બર
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર
મતદાનની તારીખ 3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ 4 ઓક્ટોબર
મતગણતરીની તારીખ 5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 8 ઓક્ટોબર

અગાઉના ઉમેદવારીપત્રો માન્ય ગણાશે, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર જાહેર કરાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનું અવસાન નિપજ્યું હતું. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રથમ નોટિફિકેશન પ્રમાણે જે ઉમેદવારોએ અગાઉ ઉમેદવારી નોંધાવી છે. તે યથાવત રહેશે અને જે વોર્ડમાં રાજકીય પક્ષના ઉમેદવારોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેવી ઘટનામાં જ બીજો ઉમેદવાર જાહેર કરી શકાશે.

તમામ મતદાન મથકોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ મતદાન મથકો ઉપર કોઈ પ્રોટોકોલ પ્રમાણે કાર્ય કરવાની સૂચના ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને આપવામાં આવી છે. જ્યારે તમામ મતદાન મથકોમાં થર્મલ ગન, સેનેટાઈઝર, અને ફેસ શિલ્ડ જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવશે.

આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી જાહેર

ગાંધીનગર કોર્પોરેશન તથા અન્ય નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કોરોનાની બીજી લહેર દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે 3 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details