ગુજરાત

gujarat

By

Published : Mar 26, 2022, 10:27 PM IST

ETV Bharat / city

Crime in Gandhinagar: પ્રધાનડળ નિવાસસ્થાન પાછળ બોરીજમાં હત્યાનો બનાવ, પોલીસે તપાસ શરૂ

ગુજરાત રાજ્યનું પાટનગર(Capital of the State of Gujarat) ગાંધીનગરમાં છેલ્લા 30 દિવસ કરતા વધુ સમયથી જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં દારૂના નશામાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Crime in Gandhinagar: પ્રધાનડળ નિવાસસ્થાન પાછળ બોરીજમાં હત્યાનો બનાવ, પોલીસે તપાસ શરૂ
Crime in Gandhinagar: પ્રધાનડળ નિવાસસ્થાન પાછળ બોરીજમાં હત્યાનો બનાવ, પોલીસે તપાસ શરૂ

ગાંધીનગર:રાજ્યમાં છેલ્લા 30 દિવસ કરતા વધુ સમયથી જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર અને એમાં પણ ગાંધીનગરમાં કઈ જગ્યાએ ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાનો અને કેબિનેટ કક્ષાના પ્રધાનો સહિત મુખ્યપ્રધાન જે વિસ્તારમાં રહે છે તે બોરીજ ગામમાં જ હત્યાની(Murder case in Gandhinagar) ઘટના સામે આવી છે જેમાં દારૂના નશામાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના DYSP એમ કે રાણાએ જણાવ્યું હતું કે સેક્ટર 21 પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોરીજ ગામમાં હત્યાની ઘટના બની હતી

આ પણ વાંચો:Murder case in Ahmedabad : જમાઈએ સાસુની હત્યા કરી, બીજા લગ્ન કર્યાં તોય પહેલી પત્નીને સાથે રાખવાની હતી તકરાર

મોડી રાત્રે બની ઘટના - ગાંધીનગર પોલીસ(Gandhinagar Police) તરફથી મળતી માહિતી પ્રમાણે બોરીજ ગામમાં(Borij village) જે રીતે હત્યાની ઘટના સામે આવી છે તે મોડી રાત્રે બની હતી જ્યારે છૂટક મજૂરી કરવા આવતાં શખ્સે(person come do retail labor) પરિણીતા પર હુમલો કર્યો(Attacked on married women) હતો અને ઘરમાં ઘૂસીને હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણ હોવાની વાત પણ સામે આવી રહી છે કે જ્યારે અત્યારે તો અત્યારે હત્યા કરીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે પરંતુ પોલીસે હત્યારાને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:Murder cases in Ahmedabad : અમદાવાદ ફરી બન્યું રક્ત રંજીત, ભાડૂઆતે મકાન માલિકની કરી હત્યા

સેકટર 21 પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ - સમગ્ર ઘટના બાબતે ગાંધીનગરના DYSP એમ કે રાણાએ જણાવ્યું હતું કે સેક્ટર 21 પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોરીજ ગામમાં હત્યાની ઘટના બની હતી. આ બાબતે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં(Sector 21 Police Station) હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત નિકીતાબેન રાહુલ ઠાકોર ની હત્યા થઈ છે જે 26 તારીખની મોડી રાત્રે હત્યા થઈ છે. જેમાં સાસરિયા દ્વારા ગળુ દબાવીને હત્યા(Strangulation) કરાઈ હોવાનું નોંધ કરવામાં આવી છે.. આમ સાસરિયાના વ્યક્તિઓએ નિકિતાની વધુ દબાવી હત્યા કરાઇ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ABOUT THE AUTHOR

...view details