ગુજરાત

gujarat

ETV Bharat / city

COVID-19: રાજ્યમાં કુલ 1376 કેસ પોઝિટિવ, 53 લોકોનાં મોત - etv bharat news

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં કોરોનાના કુલ 1376 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 53 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 93 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

etv bharat
COVID-19: રાજ્યમાં કુલ 1275 કેસ પોઝિટિવ, 47 લોકોનાં મોત, આજે નવા 176 કેસો

By

Published : Apr 18, 2020, 12:26 PM IST

Updated : Apr 18, 2020, 8:33 PM IST

ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1376 પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 53થઇ છે. આ ઉપરાંત કુલ93 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 27, સુરતમાં 10, રાજકોટ 9, વડોદરામાં 7, ગાંધીનગર 10, ભાવનગરમાં 10, ગીર-સોમનાથમાં 1, પોરબંદરમાં 3, પાટણમાં 11,ભરૂચમાં 2,અને આણંદમાં 3 સામેલ છે.

રાજ્યમાં કુલ 1220દર્દી સ્ટેબલ છે અને 10 દર્દીને વેન્ટિલેટર પરરાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 93 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 18 એપ્રિલને સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 104 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 96 કેસો, ત્યારબાદ વડોદરામાં 3, મહીસાગર અને પંચમહાલમાં 1-1 કેસ, ભાવનગરમાં 2 કેસ, જ્યારે સાબરકાંઠામાં 1 કેસ નવો નોંધાતારાજ્યના 6 જિલ્લામાથી 104 કેસ નવા આવ્યા છે. તેમજ 5લોકોના મોતથયા છે. કુલ 53 લોકોના મુત્યુ થયા છે. જ્યારે 5 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગત 24 કલાકમાં રાજ્યમાં 2664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 277 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત અત્યાર સુધી રાજ્યમાં કુલ 26,102 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1376 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી લેવાયેલ દર 100 સેમ્પલ માથી 5 ના રિપોર્ટ પોઝિટિવઆવે છે.

ગુજરાતમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસો માથી 63%થી વધારે કેસો તો માત્ર અમદાવાદમાં

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 1376 કેસ નોંધાયા છે. જેમાંથી 53દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 862 કેસ અને 25 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ વડોદરામાં 158 કેસ અને 7 મૃત્યુ, સુરતમાં 153 કેસ અને 7 મૃત્યુ, ભાવનગરમાં 30 કેસ અને 4 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 30 કેસ, ભરૂચમાં 22 કેસ, આણંદમાં 27 અને 1 મુત્યુ, કચ્છમાં 4 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 6 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મહેસાણામાં 4 કેસ, બનાસકાંઠામાં 8 કેસ, પંચમહાલમાં 9 કેસ અને 2 મોત, દાહોદમાં 2 કેસ,બોટાદમાં 4 કેસ અને 1 મોત, નર્મદામાં 11 કેસ, ખેડામાં 3 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 1 કેસ અને 1 મોત, મહીસાગરમાં 2 કેસ છે. આ ઉપરાંત જામનગરમાં 1 બાળકનું મોત થયું છે.

Last Updated : Apr 18, 2020, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details