ગાંધીનગરઃ રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા 143 કેસ નોંધાયા (Corona Cases in Gujarat) હતા. જ્યારે 51 દર્દી સાજા થયા હતા. આ સાથે જ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 100ને પાર (Corona Cases in Gujarat) પહોંચ્યો હતો. તો અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 608 છે.
એક દર્દીનું થયું મૃત્યુ - રાજ્યમાં ધીમે ધીમે દરરોજ કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) 20થી 30નો વધારો થઈ રહ્યો છે. તો રાજ્યમાં લાંબા સમય પછી શુક્રવારે કોરોનાના કારણે ગાંધીનગરના એક દર્દીનું મૃત્યુ થયું હતું. જોકે, અત્યારે રાજ્યમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમ છતાં અત્યારે કાળજી રાખવી જરૂરી છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 10,945 દર્દીના મૃત્યુ થયા છે.