- તમામના પરિશ્રમના પરિણામે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ
- રાજ્યમાં 58,000 ઓક્સિજન બેડ અને 2,000 જેટલી હોસ્પિટલમાં 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અવિરત સપ્લાય
- છેલ્લા એક મહિનામાં 7 લાખથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા
- છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2 લાખ 75 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન
ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં આત્મીય પોઝિટિવ કેર-પોસ્ટ કોવિડ સેન્ટરનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે, છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. જે આપણા સૌ માટે ખૂબ જ રાહતના સમાચાર છે.
આ પણ વાંચોઃCM રૂપાણીએ 400 ઓક્સિજન બેડ ધરાવતી રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું
કોરોના સામે લડવા છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2.75 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે
રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1લાખ કરી છે. કોરોના સામે લડવા છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2.75 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલા તેમજ કોરોના વોરિયર્સની દિવસ-રાત મહેનત અને લોકોનો સહકાર-જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છે
ગુજરાત ત્રીજી લહેર માટે અત્યારથી સજ્જ
રાજ્ય બીજી લહેરમાં જ ત્રાસી ગયુ છે, લોકોમાં ડરનો માહોલ છે કે ત્રીજી લહેરમાં ગુજરાત શું કરશે તો આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત કોરોનાની ત્રીજી લહેર માટે અત્યારથી સજ્જ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે નવા-નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત જરૂરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. આપણે વ્યથા નહી વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ, એટલે કોરોના સામેનો જંગ આપણે જીતી રહ્યા છે.
બીજી લહેરમાં કઇ રીતનુ રાજ્ય સરકારે કર્યુ કાર્ય
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના સામે જંગ જીતવા સતત કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા 18 હજારથી વધારીને 58 હજાર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી 2000 જેટલી હોસ્પિટલ્સમાં દૈનિક 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અવિરત પ્રવાહ પુરો પાડવામાં આવી રહ્યો છે.