ગુજરાત

gujarat

By

Published : May 19, 2022, 6:47 PM IST

ETV Bharat / city

મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો

રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા કુલ રૂ. 45.09 કરોડના કામોને એક જ દિવસમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાણી યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપી (CM Approved various water supply works) છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) હેઠળ કઇ કઇ નગરપાલિકામાં પાણી પુરવઠાના કામ મંજૂર થયાં તે જાણો અહેવાલમાં

મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો
મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો

ગાંધીનગર : રાજ્યના મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમિતપણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ સાથે 4 નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. 45.09 કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી (CM Approved various water supply works) આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરપાલિકામાં પાણી પુરવઠાના વિવિધ કામો મંજૂર કર્યા છે.નોંધનીય છે કે ગુજરાતમાં પાણીની સમસ્યાની (Water Crisis in Gujarat)ઘણી રજૂઆતો મળી રહી છે.

આ પણ વાંચો - નવસારીમાં પાણી કાપ : શહેરીજનોને એક ટાઈમ જ પાણી મળશે

વસ્તીને આધારે નિર્ણય -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તોને અનુમતિ (CM Approved various water supply works)આપી છે. GUDM દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના(Water supply scheme) કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તેમાં માંગરોળ માટે રૂ. 22.64 કરોડ, વંથલી માટે રૂ. 7.21 કરોડ, ઓખા માટે રૂ. 5.69 કરોડ અને માણાવદર માટે રૂ. 9.55 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

આ પણ વાંચોઃKaprada Water Problem : ઘોટવણ ગામે જીવના જોખમે પાણી મેળવી રહી છે મહિલાઓ, કરોડોની યોજના છતાં વલખાં

કયા કામ થશે યોજના હેઠળ- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને (CM Approved various water supply works)પરિણામે હવે આ 4 નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઇઝીંગ મેઇન, ગ્રેવીટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપના કામો તેમજ ફિલ્ટર પ્લાન્ટ, હાઉસ કનેકશન અને સ્ટોરેજ કામોનું (Water Crisis in Gujarat)આયોજન હાથ ધરાશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details