- 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગરની થઈ હતી સ્થાપના
- આજે 57 વર્ષ પૂર્ણ કરશે ગાંધીનગર
- તમામ સેક્ટરમાં ઊજવણીનું કરાયું આયોજન
- 35 જગ્યાએ થશે ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણી
ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. આજે 2 ઓગસ્ટ 2021ના રોજ ગાંધીનગરને 57 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આખા શહેરમાં 21 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સેક્ટરોમાં ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે કેક કટ કરવાના આયોજન સાથે ગાંધીનગર સિવિલમાં પણ દર્દીઓને સારવાર બાદ સરળતાથી તેઓ ઘરે પહોંચી શકે તે માટે 801 નંબરની એક એમ્બ્યુલન્સનું પણ લોકાઅર્પણ કરવામાં આવશે.
કોર્પોરેશનના તમામ સેક્ટરોમાં થશે ઉજવણી
ગાંધીનગરના સ્થાપના દિનની ઉજવણી બાબતે ઋષિ વંશી સમાજ સેવા સંઘના પ્રમુખ હેમરાજ પાડલીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે શહેરના તમામ સેક્ટર અને નવા ગ્રામ્ય વિસ્તારો કે જેમનો શહેરમાં સમાવેશ થયો છે તે તમામ જગ્યા ઉપર કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે કેક કટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ એક જ સમયે અલગ અલગ 35 જગ્યાએ ગાંધીનગર સ્થાપના દિન નિમિત્તે કેક કટ કરીને ખાસ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, 2 ઓગસ્ટના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ગાંધીનગરના મુખ્ય માર્ગોના મહત્વના પોઇન્ટ પર કેક અને પેસ્ટ્રીઝનું બાળકોને વિતરણ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો- પીએમ મોદીને જન્મદિવસની ઉજવણી પસંદ જ નથી, સંગઠનની રજૂઆત બાદ જન્મદિવસે સામાજિક કામો શરૂ કર્યા
કેવી હશે ઉજવણી?
2જી ઓગસ્ટ એટલે કે, ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણીનું દર વર્ષે સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે આ ઉજવણી કેવી હશે તે બાબતે હેમરાજ પાડલીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના તમામ ઘરોમાં સાંજે દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક સેક્ટરમાં દેશભક્તિના ગીતો વાગશે અને સ્ટેજ પર 35 જેટલા સેક્ટરોમાં કેક કટ કરવાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજીને ગાંધીનગરના તમામ રહેવાસીઓ આ ઉજવણીમાં જોડાય તે બાબતનું પણ આયોજન 21 સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં 801 એમ્બ્યુલન્સનું લોકાર્પણ