ગુજરાત

gujarat

ETV Bharat / city

મહાત્મા મંદિરના ઝૂંપડાઓ ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર જગ્યામાં ટોરેન્ટ પાવરે મીટર કેવી રીતે ફાળવ્યાં? - મહાત્મા મંદિર

ગાંધીનગરના રેલવે સ્ટેશન ઉપર પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. ત્યારે મહાત્મા મંદિરની આજુબાજુ 300 ઝૂંપડા વિકસિત થઇ ગયાં હતાં. હાઇકોર્ટ દ્વારા આ દબાણ દૂર કરવાનો આદેશ આપ્યાં બાદ આજે ગાંધીનગરનું તંત્ર ત્રાટકયું હતું અને તમામ ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પરંતુ ગેરકાયદેસર બંધાયેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના તમામ મકાનમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલાં હતાં. ત્યારે આ મીટર કેવી રીતે આપવામાં આવ્યાં તે એક મહત્વની બાબત છે, જેના ઉપર અનેક સવાલો થઈ રહ્યાં છે.

મહાત્મા મંદિરના ઝૂંપડાઓ ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદે જગ્યામાં ટોરેન્ટ પાવરે મીટર કેવી રીતે ફાળવ્યાં?
મહાત્મા મંદિરના ઝૂંપડાઓ ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું, ગેરકાયદે જગ્યામાં ટોરેન્ટ પાવરે મીટર કેવી રીતે ફાળવ્યાં?

By

Published : Oct 9, 2020, 1:19 PM IST

ગાંધીનગરઃ મહાત્મા મંદિરની પાછળ ફાઇવટાર હોટલ બની રહી છે જેને દુનિયામાં નામના મળવાની છે. ત્યારે તેની આગળના ભાગમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર ઉભો થયેલો હતો. ગેરકાયદેસર જગ્યામાં લોકો દ્વારા કાચા મકાનો બાંધી દેવામાં આવ્યાં હતાં. 300 જેટલા લોકોએ સરકારી જમીન ઉપર ઝૂંપડાં બાંધી વસવાટ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ ગાંધીનગરના વહીવટીતંત્ર દ્વારા ઝૂંપડપટ્ટી દૂર કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.

વ્યથાઃ સરકારે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો માટે મકાનો ફાળવ્યાં છે તેમાં અમારો સમાવેશ કરાયો નથી
પોલીસ કાફલાની સુરક્ષા વચ્ચે વહીવટીતંત્રે તંબૂ તાણીને દબાણ દૂર કરવા અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં મોટાભાગના લોકો સ્વેચ્છાએ પોતાનો સામાન લઇને રવાના થઇ ગયાં હતાં. પરંતુ અહીં રહેતાં લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હમણાં જવામાં કોઈ દુઃખ નથી. પરંતુ જ્યાં સરકારે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો માટે મકાનો ફાળવ્યાં છે તેમાં અમારો સમાવેશ કરાયો નથી. ભલામણના આધારે લોકોને મકાનો ફાળવી દેવામાં આવ્યાં છે અમારા પછી રહેવા આવેલા લોકોને પાકા મકાનો બનાવ્યાં છે ત્યાં ફાળવ્યાં છે. પરંતુ અમારી વગ નહી હોવાના કારણે અમારે અહીં રહેવું પડ્યું છે.ગેરકાયદેે બંધાયેલી ઝુપડપટ્ટીને દૂર કરવાનો આદેશ આપ્યાં બાદ આજે દૂર કરવાની કાર્માંયવાહી શરુ થઈ છે પરંતુ આ કામગીરી હજુ આગળના બે ત્રણ દિવસ સુધી ચાલશે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ મકાનોમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલાં હતાં. વીજળી ફાળવવામાં આવી હતી. સામાન્ય રીતે ગેરકાયદે જગ્યામાં મકાનો બન્યાં હોય તો તે લાઇટનુ કનેક્શન કેવી રીતે મળે ? તે સવાલ હોય છે પરંતુ અહીં તમામ કાચા મકાનમાં ટોરેન્ટ પાવરના મીટર લાગેલાં હતાં. આ બાબતે ટોરેન્ટ પાવરના મેનેજર દરજી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો તેમણે કહ્યું કે હું અત્યારે કામમાં છું પછી આ બાબતે વાત કરીએ. આમ તેમણેે જવાબ આપવામાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details