ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી( BJP General Secretary National Organization) બી.એલ સંતોષ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈ કાલે RSSના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને આજે તેમણે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં SC મોર્ચાની બેઠક યોજી હતી. આ બેઠકમાં બી.એલ સંતોષે ઝાંઝરકામાં સામાજિક આગેવાનો(Social leaders in Zanzarka) સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન આગામી ચૂંટણીઓને લઈને સંગઠનના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
SC અને ST મતદારો વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જેને હવે જો 150 પલ્સ સીટના લક્ષને પહોંચવું હોય તો બીજેપી તરફ લાવવા જરૂરી છે. આ પણ વાંચો:Tribal Community Development: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરના ગામોને મોટી ભેટ આપવાની કરી જાહેરાત
બી.એલ.સંતોષે શુ કહ્યું ? -પ્રાથમિક માહિતી પ્રમાણે, બી.એલ સંતોષે પ્રદેશના નેતાઓને લેશન આપ્યું છે અને કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર કામગીરી કરવા માટે આદેશ કર્યો છે. SC અને ST સમુદાયના વધુ લોકોને ભાજપમાં જોડવા માટે પ્રયાસ કરવા નિર્દેશ અપાયા છે. આ સાથે જ ભાજપમાં SC અને ST સમુદાય લોકો(SC and ST community) કેમ જોડતા નથી? તે અંગે તારણો શોધવા આદેશ આપવામાં આવ્યો છે. આ સમુદાયના યુવાનોને ભાજપ માટે જોડવા હોસ્ટેલની મુલાકાત દર મહિને યોજવા જણાવ્યું છે.
SC અને STના મત મેળવવા 150થી વધારેનો ટાર્ગેટ -SC અને ST મતદારો વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જેને હવે જો 150 પલ્સ સીટના લક્ષને(Pulse seat target) પહોંચવું હોય તો BJP તરફ લાવવા જરૂરી છે. એટલા માટે હવે BJP SC અને ST સમુદાય તરફ ધ્યાન આપી રહ્યા છે. 2022 ચૂંટણી દરમિયાન આ તમામ વોટ બીજેપી તરફ રહે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો:Gujarat Assembly Elections 2022: શું તમે જાણો છો ભાજપે આગામી ચૂંટણી માટેનું શસ્ત્ર અહીં તૈયાર કરી લીધું છે? વધુ જાણો
ભાજપના વિસ્તારકો કાઢશે પરિસ્થિતીનો ક્યાસ -ચૂંટણી પહેલા ભાજપ વિસ્તારકોને મેદાનમાં ઉતારશે 10 મે 2022ના રોજ 125 વિસ્તારોમાં વિસ્તારકો જશે. જે રાજકીય માહોલની માહિતી ભાજપને આપશે. આ માટે વિસ્તારકોને ભાજપ ખાસ તાલીમ આપી રહ્યું છે.
સી.આર. પાટીલનો વન ડે વન જીલ્લા કાર્યક્રમ -ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આગામી ચૂંટણીની તૈયારીમાં ગુજરાતના દરેક જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ધંધુકા ઝાંઝરકામાં બી.એલ સંતોષ સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરશે.