ગાંધીનગર:સમગ્ર દેશ અને ગુજરાતમાં લોકોને આરોગ્ય સુખાકારી રહે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતને 7000 જેટલા આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર શરૂ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્ય સરકારે 7523 જેટલા આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
107 ટકા સિદ્ધિ -વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ 7523 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 107 ટકા સિદ્ધિ મેળવી છે.
કેવી સારવાર આપવામાં આવે છે -આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ(Contraceptive services), ચેપી રોગોનું સંચાલન(Management of infectious diseases), સામાન્ય રોગોની ઓપીડી સારવાર(OPD treatment of common diseases) વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન(Diagnosis of non infectious diseases), સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન(Diagnosis of mental illness) અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો:'માં અમૃતમ' અને 'આયુષ્માન કાર્ડ' ની કામગીરી બંધ, તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત
6215 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણુંક - આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની(Community Health Officer) જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે. જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલી કન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્ગદર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં 6215 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી છે.