ગુજરાત

gujarat

By

Published : Mar 5, 2022, 3:32 PM IST

Updated : Mar 5, 2022, 3:45 PM IST

ETV Bharat / city

Appointment of Chancellors Gujarat: કુલપતિઓની નિમણૂક UGCના નિયમોનુસાર થવી જોઈએ: કિરીટ પટેલ

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે નૈતિક મૂલ્ય ધરાવતા હોય તેવા વ્યક્તિઓની નિમણૂક કુલપતિ (Appointment of Chancellors Gujarat) તરીકે કરવી જોઈએ. તેમણે કચ્છ જૂનાગઢ અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં UGCના નિયમો નેવે મૂકીને કુલપતિની નિમણૂક કરવામાં આવી રહી છે.

Appointment of Chancellors Gujarat: કુલપતિઓની નિમણૂક UGCના નિયમોનુસાર થવી જોઈએ: કિરીટ પટેલ
Appointment of Chancellors Gujarat: કુલપતિઓની નિમણૂક UGCના નિયમોનુસાર થવી જોઈએ: કિરીટ પટેલ

ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Congress MLA Kirit Patel) વિધાનસભામાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શિક્ષણની બાબતમાં ચુકાદો આપ્યો છે. જે ચુકાદા મુજબ કુલપતિઓની નિમણૂક (Appointment of Chancellors Gujarat) નિયમો અનુસાર થવી જોઈએ. પરંતુ ગુજરાતમાં UGCના નિયમો (rules of ugc for chancellor appointment) નેવે મૂકીને કુલપતિની નિમણૂક કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં UGCના નિયમો નેવે મૂકીને કુલપતિની નિમણૂક કરવામાં આવી રહી છે.

UGCના નિયમો નેવે મુકીને નિમણૂક કરવામાં આવી

કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (maharaja sayajirao university of baroda)ના કુલપતિતરીકે ડો.કુલકર્ણીની નિમણૂક UGCના નિયમો નેવે મુકીને કરવામાં આવી હતી. આ બાબતને હાઇકોર્ટમાં લઇ જવાતા તેમની નિમણૂક રદ કરવા માટે સરકારને કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે.

આ પણ વાંચો:GTU Examination Fee Controversy: GTUના વિદ્યાર્થીએ એક વિષયની પરીક્ષા માટે ભરવી પડી 7,125 રૂપિયા ફી

રાજ્યની 40 યુનિવર્સિટીમાં લાગવગથી કુલપતિઓની નિમણૂક

સુપ્રીમ કોર્ટે 'યથા રાજા તથા પ્રજા' તેવી ટિપ્પણી (Supreme Court About Chancellor Appointment) કરીને કુલપતિની નિમણૂક નૈતિક મૂલ્ય ધરાવતા ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ વિચારો ધરાવતા હોય તેમની કરવી જોઇએ તેવી સલાહ આપી છે. પરંતુ રાજ્યમાં 40 યુનિવર્સિટીમાં લાયકાત ન ધરવતા કુલપતિઓની લાગવગથી નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો:ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં ફી માફી મુદ્દે હાઈકોર્ટમાં PIL કરાઈ

કિરીટ પટેલે અન્ય યુનિવર્સિટીઓના ઉદાહરણ ટાંક્યા

કચ્છ, જૂનાગઢ અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ (Chancellor of Ambedkar University)નો ઉલ્લેખ કરીને કિરીટ પટેલે જણાવ્યું હતું કે, નૈતિક મૂલ્ય ધરાવતા હોય તેવા વ્યક્તિઓની નિમણૂક કુલપતિ તરીકે કરવી જોઈએ.

Last Updated : Mar 5, 2022, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details