ગાંધીનગર- આજે અષાઢી બીજે અમિત શાહે આજે રૂપાલમાં (Amit Shah in Gandhinagar )વરદાયિની માતાજીના મંદિરની સન્મુખ યોજાયેલા સમારોહમાં રૂપાલ અને વાસણ ગામના તળાવોના નવીનીકરણ, કલોલ તાલુકાના બે રેલવે ઓવરબ્રિજ તથા વિશ્વ ઉમિયા ધામને જોડતા માર્ગને ફોર ટ્રેક કરવાના કામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહે કુલ રૂપિયા 210 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રૂપાલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે, તેનો આયોજનબદ્ધ વિકાસ થાય એ દિશામાં કામ થઈ રહ્યું છે. રૂપાલ સમગ્ર દેશ અને ગુજરાતનું મહત્વનું યાત્રાધામ બનશે. ગાંધીનગર જિલ્લામાં 75 અમૃત સરોવરો તો બનશે જ એ ઉપરાંત બીજા 10 તળાવનું નિર્માણ પણ થશે. આમ ગાંધીનગર જિલ્લામાં કુલ 85 તળાવોનું નિર્માણ (Amit Shah Various programs on ashadhi bij )થશે. તેમણે કહ્યું હતું કે રૂપાલ સુંદર ગામ બનશે. મહત્વનું પ્રવાસનધામ બનશે અને રૂપાલની પલ્લી વિશ્વપ્રસિદ્ધ બનશે એમાં કોઈ બે મત નથી.
કેન્દ્રની પ્રસાદ યોજનામાં રૂપાલનો વિકાસ -વરદાયિની માતાજીના મંદિરનો ભારત સરકારે 'પ્રસાદ યોજના'માં સમાવેશ કર્યો છે એમ કહીને તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં રૂપાલનો બેનમૂન (Development of Rupal in Kendra's Prasad Yojana) વિકાસ થશે. ભારતના નકશામાં વરદાયની માતાજીનું મંદિર મહત્વનું સ્થાન લેશે.કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની 120 કિલોગ્રામ ચાંદીથી રજતતુલા (Union Home Minister Amit Shah Rajat Tula Program in Rupal) કરવામાં આવી હતી. આ તમામ ચાંદીશાહે વરદાયનિ માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી રુપાલમાં 120 કિલો ચાંદીથી અમિત શાહની રજત તુલાકરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, દાતાઓએ 120 કિલો ચાંદીનુ જે દાન આપ્યું છે તેનાથી રૂપાલમાં આવેલા જુદા જુદા મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે. અમિત શાહ વરદાયિની માતાજીના મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા અને આરતી ઉતારીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. તેમણે મંદિર પરિસરની સામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની પંચવટીમાં કદમ્બનું વૃક્ષ પણ વાવ્યું હતું.
હું મારા મતવિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું -અમિત શાહે (Amit Shah in Gandhinagar )ઉપસ્થિત વિશાળ જનમેદનીને રથયાત્રાની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજે 145મી રથયાત્રાના મંગલ અવસરે હું આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની મંગલા આરતી કરીને અત્યારે હું મારા મતવિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું હતું કે, એક જમાનો હતો કે રથયાત્રાના દિવસે લોકોના જીવ પડીકે બંધાઈ જતા હતાં. હુલ્લડ થાય, તોફાનો થાય, કર્ફ્યુ નાખવામાં આવે એવા દિવસો આપણે જોયા છે. એવા પણ દિવસો આવ્યા હતા કે તત્કાલીન રાજ્ય સરકારોએ રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હોય. પરંતુ આજે રાજ્ય સરકારના સાથ અને સહકારથી શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સમગ્ર ભારતની જનતા પર રહે અને આપણે સૌ સુખી, સમૃદ્ધ અને નીરામય રહીએ એવી પ્રાર્થના સાથે તેમણે વરદાયિની માતાજીના ચરણોમાં પ્રણામ કર્યા હતા.
આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરમાં અમિત શાહ મંગળા આરતી કરશે, અનેક પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાશે
તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂ્ર્ત- અમિત શાહે રૂપાલના તળાવ નવીનીકરણના કામનું (Renovation of Rupal Lake) ખાતમુહૂ્ર્ત કર્યું એ તળાવનું ક્ષેત્રફળ 5577 ચોરસ મીટરથી વધીને 31500 ચોરસ મીટર થશે. તળાવની આસપાસ વૉકિંગ પાથ બનશે. રમત ગમતના સાધનો પણ હશે. વ્યાયામ યોગ જેવી વ્યવસ્થાઓ પણ હશે. ગામના વડીલો બેસી શકે એવી બેઠક વ્યવસ્થા હશે. જ્યારે વાસણ તળાવનું હાલનું ક્ષેત્રફળ વધીને 17192 ચોરસ મીટર થશે. આ બંને તળાવો આગામી સમયમાં પિકનિક સ્પોટ બનશે.શાહે કહ્યું હતું કે, આ તળાવ ગામનો આત્મા બનશે. આ તળાવનું કામ ખૂબ ઝડપથી પૂર્ણ થશે અને આ બંને તળાવોનું લોકાર્પણ કરવા પણ હું આવીશ.