- ભાજપના ધારાસભ્યોની બેઠક પછી થશે ફેરફાર
- વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડાશે
- પ્રદીપસિંહ જાડેજાને કેબિનટપ્રધાન બનાવાશે
અમદાવાદ : ભાજપના ધારાસભ્યોની બેઠક અને ત્યાર પછી રૂપાણી કેબિનેટમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ વિધાનસભા અધ્યક્ષથી માંડીને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ફેરફાર થવાની સંભાવના છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યકક્ષાના પ્રધાન બનાવે તેવી ચર્ચા છે. તેમજ શિક્ષણપ્રધાન અને સીનીયર નેતા તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને વિધાનસભાના અધ્યક્ષ બનાવે તેવી ગણતરી મૂકાઈ રહી છે.
અસંતોષ દૂર કરવા કેબિનેટમાં ફેરફાર કરવા જરૂરી
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં ચૂંટણી આવી રહી છે. તે અગાઉ ભાજપના જ ધારાસભ્યોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જે અસંતોષ દૂર કરવા માટે રૂપાણી કેબિનેટમાં વિસ્તરણ કરશે અને બોર્ડ નિગમોમાં નિમણૂક આપશે. સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઈશ્વર પરમાર કપાશે અને તેમના સ્થાને ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારને સ્થાન અપાશે.
આ પણ વાંચો : આજે સાંજે 5 કલાકે મળશે ભાજપ ધારાસભ્યોની બેઠક, ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ રહેશે હાજર
પ્રદીપસિંહ જાડેજાને પ્રમોશન