ગુજરાત

gujarat

Thoracic Endoscopy Conference Tescon 2020: કોરોનાએ છાતી-ફેફસાના રોગો પ્રત્યે લોકોને સજાગ કર્યા - CM ભૂપેન્દ્ર પટેલ

By

Published : Dec 18, 2021, 10:49 PM IST

થોરાસિક એન્ડોસ્કોપી કોન્ફરન્સ ટેસ્કોનની પાંચમી નેશનલ કોન્ફરન્સ (Thoracic Endoscopy Conference Tescon 2020)માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્કૃષ્ટ સારવાર-સેવા માટે 2 વરિષ્ઠ તબીબો રાજસ્થાનના વિક્રમ જૈન અને લખનૌના રાજેન્દ્ર પ્રસાદને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ (lifetime achievement award)થી સન્માનિત કર્યા હતા.

Thoracic Endoscopy Conference Tescon 2020: કોરોનાએ છાતી-ફેફસાના રોગો પ્રત્યે લોકોને સજાગ કર્યા - CM ભૂપેન્દ્ર પટેલ
Thoracic Endoscopy Conference Tescon 2020: કોરોનાએ છાતી-ફેફસાના રોગો પ્રત્યે લોકોને સજાગ કર્યા - CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: કોરોના સંક્રમણ કાળ (corona pandemic in india)માં પલ્મોનોલોજીસ્ટ અને સમગ્ર તબીબી જગતની સેવાઓ માનવ સમાજ માટે ઇશ્વર જેવી પૂરવાર થઇ છે. પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયન, થોરાસિક સર્જન સહિતના તબીબી જગતે કોરોનાકાળમાં સમગ્ર માનવ સમાજની ઇશ્વરીય સેવા કરી છે.કોરોના (coronavirus in india)એ છાતી, ફેફસાંને લગતા રોગો પ્રત્યે હવે સામાન્યમાં સામાન્ય માનવીને સજાગ કર્યા છે અને પલ્મોનોલોજીસ્ટ શબ્દ ઘરે-ઘરે પહોચી ગયો હોવાનું નિવેદન CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાઇ રહેલી થોરાસિક એન્ડોસ્કોપી કોન્ફરન્સ ટેસ્કોન-2020 (Tescon 2020 at Gandhinagar)માં આપ્યું હતું.

તબીબી વિજ્ઞાન જગતના આધુનિક યુગના ઋષિમૂનિઓ

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે ટેસ્કોન-2020ના છત્ર નીચે તબીબી વિજ્ઞાન જગતના આધુનિક યુગના ઋષિમૂનિઓ આ પરિષદમાં માનવ જગતના સ્વાસ્થ્ય-સેવા-સારવાર માટે સમૂહ ચિંતન-મનન કરવાના છે. ચરક, સુશ્રુત, પતંજલિ જેવા પ્રાચીન ઋષિઓએ ભારતમાં આયુર્વિજ્ઞાન (Ayurveda in India)નો પાયો નાંખી રોગની સારવાર-સેવાની પરંપરા (traditional medicine in india)માં ખેડાણ કર્યુ હતું.

2 તબીબો લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત

વર્તમાન સમયમાં મેડિકલ સાયન્સ પણ એવું જ વિસ્તરી રહેલું ક્ષેત્ર છે અને એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી જેવી પદ્ધતિઓ (bronchoscopy diagnostic techniques)થી છાતી-ફેફસાના રોગમાં સારવાર કારગર સાબિત થઇ શકે તેમ છે. વર્ષ 2012માં સ્થપાયેલી આ સોસાયટીની આ પાંચમી નેશનલ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાને ઉત્કૃષ્ટ સારવાર-સેવા માટે 2 વરિષ્ઠ તબીબો રાજસ્થાનના વિક્રમ જૈન અને લખનૌના રાજેન્દ્ર પ્રસાદને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

આ કોન્ફરન્સમાં સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી ગુપ્તા, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. આનંદ પટેલ, મનોજ પટેલ તથા પ્રેસિડેન્ટ ડૉ. સોલંકી વગેરેએ CM ભુપેન્દ્ર અભિવાદન કર્યુ હતું.

આ પણ વાંચો: Karai Police Passing Out Parade: કરાઈ ખાતે પોલીસ પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, 341 ઉમેદવારો સરપંચ પદ માટે મેદાને

ABOUT THE AUTHOR

...view details