ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી શિક્ષણ અંગે ઓપન ડિબેટ કરવા શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીની (AAP invites Jitu Waghani for debate) પાછળ હાથ ધોઈને પડ્યા છે. AAPના નેતાઓ શિક્ષણપ્રધાનને ડિબેટ માટે આમંત્રણ આપવા સચિવાલય પહોંચ્યા (AAP invites Jitu Waghani for debate) હતા. જોકે, આજે શનિવારે સચિવાલય બંધ હોવાથી તેમને અંદર જવા દેવાયા ન હતાં.
AAP નેતા મનીષ સિસોદિયાએ જિતુ વાઘાણીને આપી છે ચેલેન્જ AAP નેતા મનીષ સિસોદિયાએ જિતુ વાઘાણીને આપી છે ચેલેન્જ -આપને જણાવી દઈએ કે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્ય શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીને ઓપન ચેલેન્જ (AAP invites Jitu Vaghani for debate) આપી છે. તેમણે શિક્ષણ બાબતે ચર્ચા કરવા માટેની વાત પણ સોશિયલ મીડિયામાં જણાવી છે. ત્યારે આજે (શનિવારે) આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીને આમંત્રણ આપવા આવ્યા હતા, પરંતુ શનિવારની રજા હોવાના કારણે તેઓને સચિવાલયમાં એન્ટ્રી જ આપવામાં (AAP Leaders no entry at Gujarat Sachivalay) આવી ન હતી.
AAPના નેતા જિતુ વાઘાણીને આમંત્રણ આપવા ગયા હતા આ પણ વાંચો-Bhagavad Gita in Textbook : 'આપ' ના પાઠ્ય પુસ્કતમાં ભગવદ્ ગીતાના આવકાર સાથે પ્રહાર
વાઘાણી દિલ્હી આવે -આમ આદમી પાર્ટીના શિક્ષણ પ્રમુખ જિતેન્દ્ર ઉપાધ્યાયે આવેદનપત્ર અને નિમંત્રણ આપતા (AAP Leaders no entry at Gujarat Sachivalay) પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી તેમના કોઈ પણ ધારાસભ્ય સાથે દિલ્હીની વિધાનસભાની કોઈ પણ એક વિધાનસભા બેઠક પર શિક્ષણ કઈ રીતનું છે. તે બાબતની (AAP invites Jitu Vaghani for debate) મુલાકાત લે. અમે તમને સામેથી આમંત્રણ આપીએ છીએ કે, ગુજરાતથી સારી શિક્ષણ વ્યવસ્થા દિલ્હીમાં છે. આમ, જિતુ વાઘાણી દિલ્હી વિધાનસભાની કોઈ પણ બેઠક પર શિક્ષણ બાબતે તપાસ કરી શકે છે.
આ પણ વાંચો-Tweet war BJP vs AAP : જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાના ટ્વિટનો જવાબ આપ્યો
ઓપન ચર્ચા કરવા તૈયાર -દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીને (AAP invites Jitu Vaghani for debate) ઓપન ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું છે. આ બાબતે અગાઉ પણ રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ફક્ત રાજકીય નાટકો કરી રહ્યા છે અને ચૂંટણી આવતાં જ આવા લોકો સામે (AAP Leaders at Sachivalay) આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આવનારા 8 વર્ષની અંદર 20,000થી વધુ શાળાઓ સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવશે તેવી પણ જાહેરાત મીડિયા થકી 2 દિવસ પહેલા કરવામાં આવી હતી.
AAPની સચિવાલયમાં નો એન્ટ્રી - ગુજરાત સરકારમાં બીજો અને ચોથો શનિવાર રજા હોય છે. ત્યારે આજે માર્ચ મહિનાનો ચોથો શનિવાર છે. નિયમ પ્રમાણે સચિવાલયમાં રજા છે. તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સચિવાલય (AAP Leaders at Sachivalay) પહોંચ્યા હતા. તેમણે આ બાબતે જણાવ્યું હતું કે, આજે શનિવાર છે અને સરકારની રજા છે. તે અમારા ધ્યાનમાં નહતી, પરંતુ તેમ છતાં પણ સચિવાલય ગેટ નંબર 1 પાસે સુરક્ષા અધિકારીઓ સાથે અંદર જવા માટે અનેક રજૂઆત કરી હતી પરંતુ નિયમ પ્રમાણે તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો (AAP Leaders no entry at Gujarat Sachivalay) ન હતો જેથી તેઓએ એમનેમ જ પરત ફરવું પડયું હતું.