ગુજરાત

gujarat

By

Published : Sep 3, 2021, 9:36 PM IST

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 16 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 3 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 16 જ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત  કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે.

Gandhinagar News
Gandhinagar News

  • છેલ્લા 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા
  • 3 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહીં
  • અમદાવાદમાં 4, વડોદરા 4, સુરતમાં 2 અને ગાંધીનગર 00 કેસ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 3 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 16 જ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે. અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 30 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં એકનું કોરોનાથી મોત નીપજ્યું છે.

5,25,818 ડોઝ અપાયા

3 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5,25,818 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે શુક્રવારે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,62,781 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,08,310 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 4,82,68,514 નાગરિકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 149 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 144 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details