ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત યાત્રાધામમાં હવે પછી ભિક્ષુક જોવા નહી મળે, ક્યા જશે ભિક્ષુક?

ગુજરાતમાં ભિક્ષુકોને લઈને સારા સમાચાર (Gujarat beggars) સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર હવે ભિક્ષુકોને આત્મનિર્ભર (Gujarat Beggars Self Reliance) તરફ માર્ગ આપવાની ચર્ચાઓ બહાર આવી છે. રાજ્યના અનેક યાત્રાધામ પર મોટી સંખ્યામાં ભિક્ષુકો જોવા મળતા હોય છે. તેને લઈને આ ચર્ચા સામે આવી છે. જૂઓ ભિક્ષુકોને કેટકેટલી સુવિધાઓ સરકાર આપશે.

By

Published : May 17, 2022, 6:49 PM IST

ગુજરાતના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત યાત્રાધામમાં હવે પછી ભિક્ષુક જોવા નહી મળે, કયા જશે ભિક્ષુક?
ગુજરાતના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત યાત્રાધામમાં હવે પછી ભિક્ષુક જોવા નહી મળે, કયા જશે ભિક્ષુક?

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં અનેક પવિત્ર યાત્રાધામ આવ્યા છે અને સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ ગુજરાતના સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા યાત્રાધામમાં દર્શન માટે આવતા હોય છે. જેમાં યાત્રાધામ ખાતે અનેક ભિક્ષુકો (Gujarat Beggars) લોકો પાસેથી ભિક્ષા માગતા હોય છે. જેને લઈને હવે ભવિષ્યમાં ભિક્ષુકો ભિક્ષા માગતા હોય તેવા દ્રશ્યો આગામી સમયમાં ભૂતકાળ બનશે. કારણ કે સરકાર આગામી સમયમાં ભિક્ષુક પ્રોજેકટને (Gujarat Beggars Project) લઈને ચર્ચાની કાર્યવાહી ચાલી રહી છે.

સરકાર લોન્ચ કરશે ભિક્ષુક પ્રોજેક્ટ

સરકાર લોન્ચ કરશે ભિક્ષુક પ્રોજેક્ટ -રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ ભિક્ષુક પ્રોજેક્ટ બાબતે ચર્ચા જણાવ્યું હતું કે, રાજ્યના આવનારા થોડા દિવસોમાં એક પણ ભિક્ષુકો જોવા નહીં મળે, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ (Beggars Pilgrimage in Gujarat) ભિક્ષુક મુક્ત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મહાકાળી જેવા મોટા યાત્રાધામોમાં આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં એટલે લાગુ થશે. ઉપરાંત રાજપીપળા ખાતે પાયલોટ પ્રોજેક્ટ (Beggars at Pilgrimage Spot in Gujarat) અમલી કરવામાં આવ્યું છે.

શું છે ભિક્ષુક પ્રોજેક્ટ -રાજ્યના યાત્રાધામ કેબિનેટ પ્રધાન સુરેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પર ભિક્ષુક પ્રોજેક્ટ (Beggar Free Project) લાગુ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની 10 જેટલી એજન્સીઓ દ્વારા યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર ભિક્ષુક પર સર્વે કરીને તમામ ભિક્ષુકોને રેન બસેરાની જેવું એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી જે તે જિલ્લામાં ભેગા કરવામાં આવશે. ત્યારબાદ તેઓને સ્વચ્છ કપડાં, રહેવાની સુવિધા અને કાઉન્સિલિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો:Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project : કેન્દ્રીય રેલવેપ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક, શી ચર્ચા થઇ જાણો

ભિક્ષુકોને બનાવવામાં આવશે આત્મનિર્ભર - રાજ્ય સરકાર દ્વારા તમામ પવિત્ર તીર્થ સ્થળો અને પ્રવાસન સ્થળોને પ્રથમ તબક્કામાં ભિક્ષુકો મુક્ત કરવાના છે. જે તે જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રેન બસેરા જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. જેમાં આ તમામ શિક્ષકોને એક જગ્યા (Government Beggars Facilitate) ઉપર રાખવામાં આવશે. તેઓને રોજ બે ટાઈમ ભોજન, નવા કપડા, દર મહિને વાળ કપાવવા તથા દાઢી, જીવનજરૂરી ચીજવસ્તુઓની આપવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ મતદાર યાદીમાં નામ દાખલ કરવું, સુધારો કરવો, નવું ચૂંટણી કાર્ડ મેળવવું, આવકનો દાખલો, દિવ્યાંગ પ્રમાણપત્ર, દિવ્યાંગ ઓળખકાર્ડ, જન ધન યોજના હેઠળ બેંક ખાતું, જાતિનો દાખલો અને લાયક બાળકોને શાળામાં દાખલ કરવાની કામગીરી પણ રાજ્ય સરકાર કરશે. જ્યારે ત્રણ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં પણ દાખલો અપાવશે. જ્યારે રોજગારલક્ષી તાલીમ આપીને તાલીમ લીધા પછી રોજગાર માટે સલાહ મદદ સ્વરોજગાર કીટ આવાસ યોજનાનો લાભ આપીને આવા ભિક્ષુકોને આત્મનિર્ભર બનાવવામાં આવશે.

કઈ રીતે કરવામાં આવે છે સર્વે -સર્વેની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વિભાગની 10 જેટલી એજન્સીઓને આ કામ સોંપવામાં આવ્યું છે. જેમાં સર્વેના ફોર્મમાં જે તે વ્યક્તિનું નામ હાલનું સરનામું, અગાઉનું સરનામું કોઈ જગ્યાએ તેમની જમીન છે કે નહીં ?, મકાન કેવા પ્રકારનું છે ?, અથવા તો મકાન વિહીન છે ?, જ્યારે આ સ્થળ પર તેઓ છેલ્લા કેટલા સમયથી રહે છે ?, ભિક્ષુક બનવાનું કારણ ?, ઘરે બે ટાઈમ ભોજન ની સુવિધા મળે છે કે નહીં ?, તેમની આગળ પાછળ કોણ છે ? આ તમામ પ્રકારની માહિતી મેળવીને સર્વે કરવામાં આવે છે.

આ પણ વાંચો:Narmada Link Project : આદિવાસી સમાજની નર્મદા લિંક પ્રોજેક્ટને એક જ દિવસમાં બે રેલી યોજાઇ

વ્યસન મુક્તિનું કાઉન્સિલિંગ, અનેક લાભ પ્રાપ્ત થયા - મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક પવિત્ર યાત્રાધામ અને પ્રવાસન સ્થળો(Pilgrimage Beggar Project) એવા હોય છે કે જેઓ વ્યસનના કારણે જ કર્યા હોય છે. આવા શિક્ષકોને પણ વ્યસન મુક્તિ અંગે કાઉન્સિલિંગ માટે આરોગ્યની ટીમ પણ એન્ડ રાખવામાં આવશે. આમ, 13 જેટલા લાભાર્થીઓને રાષ્ટ્રની મુખ્યધારામાં જોડાવા માટે અને પોતે પગભર થાય તે માટે અલગ-અલગ રોજગારલક્ષી તાલીમ( Employment oriented training to beggars) લેવા કાઉન્સિલિંગ(Beggar Counselling services) કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 19 લાભાર્થીઓને ધંધા-રોજગાર માટે રોજગાર કીટ પણ આપવામાં આવી છે. જ્યારે લાભાર્થી બાળકોને ભિક્ષા વૃત્તિ ન કરવા અને શિક્ષા લેવા માટે માતા-પિતાઓનું શૂટિંગ કરીને 22 બાળકોને શાળા તેમજ આંગણવાડીમાં એડમિશન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે લાભાર્થીઓને રહેવા માટે આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસ પણ રાજ્ય સરકારે ફાળવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details