- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 6447 પોઝિટિવ કેસ નોંધાયા
- 9557 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 67 દર્દીના મોત
- અમદાવાદમાં 1862, બરોડા 442, સુરત 322 અને રાજકોટમાં 187 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 6447 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે મંગળવારે સૌથી વધુ 9557 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.
આ પણ વાંચો :ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 15,076 દર્દીઓ થયા સ્વસ્થ
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1862 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2630 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 442, સુરતમાં 322 અને રાજકોટમાં 187 કેસ નોંધાયા છે.