- રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 644 પોઝિટિવ કેસ નોંધાયા
- 1675 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 93, વડોદરા 92, સુરત 63 અને રાજકોટમાં 27 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 644 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે બુધવારે સૌથી વધુ 1674 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 10 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.
આ પણ વાંચો : ભાવનગર શહેરમાં ત્રીજી લહેરમાં તંત્રની તૈયારી : 120 બેડ સજ્જ
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 234 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરા 92, સુરત 63 અને રાજકોટમાં 27 કેસ નોંધાયા છે.