ગુજરાત

gujarat

By

Published : Jun 4, 2020, 9:14 PM IST

Updated : Jun 4, 2020, 10:44 PM IST

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ, 33ના મોત, કુલ 68 લોકો વેન્ટિલેટર પર

જ્યારથી લૉકડાઉન ખોલવામાં આવ્યું ત્યારથી સતત કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સતત પાંચમા દિવસે આંકડો 400 ઉપર અને 500 નજીક પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં આજે સૌથી વધું 492 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 33 દર્દીનાં મોત થયા છે.

કોરોના
કોરોના

ગાંધીનગરઃ રાજ્યમાં કોરના વાઇરસના કુલ 18,609 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે માત્ર 455 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 291, સુરત 81, વડોદરામાં 39, ગાંધીનગર 21, મહેસાણા 9, બનાસકાંઠા 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા 4-4, પંચમહાલ 3, ભાવનગર, રાજકોટ 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાંથી આવેલા 8 કેસ સામે આવ્યાં છે. જેમાં માત્ર અમદાવાદના જ 13354 કેસ થાય છે. જ્યારે 68 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1155 લોકોના મોત થયા છે.

રાજ્યમાં કોરોનાના કેસની આજની અપડેટ
Last Updated : Jun 4, 2020, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details