- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 293 પોઝિટિવ કેસ નોંધાયા
- 770 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 47, વડોદરામાં 15, સુરત 48 અને રાજકોટમાં 18 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે ગુરુવારે રાજ્યમાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 293 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે સૌથી વધુ 770 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 6 જેટલા દર્દીઓના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુરુવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 103 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરા 15, સુરત 48 અને રાજકોટમાં 18 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 298 પોઝિટિવ કેસ, 5 દર્દીના થયા મૃત્યુ