ગુજરાત

gujarat

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના ફક્ત 16 કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 2 જિલ્લામાં કેસ, મૃત્યુ એકપણ નહીં

By

Published : Aug 11, 2021, 8:43 PM IST

રાજ્યમાં છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 30થી ઓછા કોરોના કેસ સામે આવ્યાં છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 16 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 28 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી.  ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે..

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના ફક્ત 16 કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 2 જિલ્લામાં કેસ, મૃત્યુ એકપણ નહીં
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના ફક્ત 16 કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 2 જિલ્લામાં કેસ, મૃત્યુ એકપણ નહીં

  • રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા
  • 28 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં કોઇ દર્દીનું મોત નહીં
  • અમદાવાદમાં 07, બરોડા 03 સુરત 03 અને રાજકોટમાં 01 કેસ

ગાંધીનગર : રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન અને 2 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 07 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 07 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 3,24,168 લોકોનું રસીકરણ થયું

જ્યારે રાજ્યમાં આજે 3,24,168 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા આ સાથે 3,79,56,872 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 93,157 નાગરિકને પ્રથમ ડોઝ અને 26,206 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજયમાં આજ સુધીમાં 3.79 કરોડ કરતા વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યાં છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 194 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 03 વેન્ટિલેટર પર અને 191 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,077 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,830 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ, એકપણ મૃત્યુ નહિં

આ પણ વાંચોઃ કોરોના કાળમાં તહેવારો પણ બનાવવામાં આવ્યા સ્માર્ટ, બહેન ભાઈને ડિજિટલ માધ્યમથી પ્રેમ દર્શાવશે

ABOUT THE AUTHOR

...view details