ગુજરાત

gujarat

જામનગરથી 10મી શ્રમિક ટ્રેન બરેલી જવા રવાના

By

Published : May 18, 2020, 2:54 PM IST

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને બસ અને ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા અંદાજે કુલ 10 ટ્રેન દ્વારા 14,500થી વધુ શ્રમિકોને યુપી બિહાર વતન પહોંચાડાયા છે.

10th labor train from Jamnagar to Bareilly
જામનગરથી 10મી શ્રમિક ટ્રેન બરેલી જવા રવાના

જામનગરઃ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતિય મજુરોને ઉત્તરપ્રદેશ-બરેલી ખાતે વતનમાં પરત કરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા સોમવારના રોજ જામનગરથી 10મી ટ્રેન મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં ટ્રેન દ્વારા 14,500થી વધુ શ્રમિકોને ઉત્તરપ્રદેશ અને બિહાર પહોંચાડવામાં આવ્યા છે.

જામનગરથી 10મી શ્રમિક ટ્રેન બરેલી જવા રવાના
ટ્રેનમાં પ્રવાસી શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી પ્રવાસી તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં કુલ 22 કોચ અને 2 એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની પ્રવાસ દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details