ગુજરાત

gujarat

દમણ-સેલવાસમાં 2 દિવસ કરફ્યુ, સરહદ સિલ કરાતા વાહનોની કતારો લાગી

By

Published : Apr 17, 2021, 7:50 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસમાં કોરોનાના કેસો વધતા તંત્રએ શનિવાર અને રવિવાર 2 દિવસ માટે સરહદ સિલ કરી કરફ્યુ જાહેર કર્યો છે. બોર્ડર પર સઘન ચેકિંગ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રશાસને આરોગ્યની ટીમ તૈનાત કરી વિવિધ આદેશો જારી કર્યા છે.

corona
દમણ-સેલવાસમાં 2 દિવસ કરફ્યુ, સરહદ સિલ કરાતા વાહનોની કતારો લાગી

  • રાજ્યના સંઘપ્રદેશમાં વીકએન્ડ કરફ્યું લાગુ કરવામાં આવ્યો
  • આવશ્યક સેવાઓ યથાવત્
  • વીક ડેઝમાં રાત્રી કરફ્યું લાગું

દમણ :- સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોના સંક્રમણ સતત વધતા તંત્રએ વીકએન્ડ કર્ફ્યુનો જાહેર કર્યો છે. વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરતા શનિવાર અને રવિવારે બંને સંઘપ્રદેશની દુકાનો, બજારો બંધ રહેશે. જ્યારે સોમવારથી શુક્રવાર સુધી રાતના 8થી સવારે 8 સુધી કર્ફ્યુ હોવાથી શુક્રવારે રાતના 8 વાગ્યા બાદ હવે સંઘપ્રદેશ સોમવારે સવારે 6 વાગે જ ખુલશે. જેને લઈને શનિવારે બંને પ્રદેશની સરહદો પર વાહનોની કતારો લાગી હતી.

જરૂરી સેવા યથાવત્

આ બે દિવસ દરમિયાન પ્રદેશમાં મેડિકલની સુવિધા શરૂ રહેશે. શાકભાજી અને દુધ લોકોને સરળતાથી મળી રહે તે માટે આ દુકાનો શરૂ રહેશે પરંતુ તે હોમ ડિલિવરીથી મળશે. લોકો ઘર બહાર નહિ નીકળી શકે તેવુ દમણ કલેક્ટર રાકેશ મિન્હાસે જણાવ્યું હતું. કરફ્યુ દરમિયાન જો કોઇ જરૂરી કારણ વગર બહાર ફરતા દેખાશે તો તેના વિરૂદ્ધ પ્રશાસન કાયદેસર પગલા ભરશે. પ્રશાસનના આ નિર્ણયને લઇને ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા પર્યટકોની તેમજ દમણમાં ઔદ્યોગિક એકમોમાં કામ અર્થે વાહનો લઈને જતા વાહનચાલકો ની લાંબી કતાર લાગી છે.

દમણ-સેલવાસમાં 2 દિવસ કરફ્યુ, સરહદ સિલ કરાતા વાહનોની કતારો લાગી

આ પણ વાંચો : આણંદ પોલીસ દ્વારા રાત્રી કરફ્યૂનોકડક અમલ


ચેકપોસ્ટ પર વાહનોની કતારો લાગી

કરફ્યુ દરમિયાન પ્રદેશમાં પ્રવેશવા માંગતા લોકોએ RTPCR-વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું જરૂરી રહેશે. જ્યારે કંપનીના કામદારોએ આઇકાર્ડ અને 45થી વધુ ઉંમર ધરાવતા લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેકપોસ્ટ પર તેનાત પોલીસને બતાવી અંદર પ્રવેશ મેળવવાનો રહેશે. જે કામદારે વેક્સિનેશન ન લગાવી હોય તેના માટે દરેક ચેકપોસ્ટ ઉપર વેક્સિનેશન માટેની સુવિધા પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :રાજકોટ રાત્રી કરફ્યૂ: માર્કેટિંગ યાર્ડના ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને મુશ્કેલી


લોકોના રિપોર્ટ, ID કાર્ડ ચેક કરીને પ્રવેશ આપી રહ્યાં છે.

હાલ આ માટે દમણની ડાભેલ અને પાતલીયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તે તમામ લોકોના રિપોર્ટ ચેક કરી, આઇ ડી કાર્ડ ચેક કરીને પ્રવેશ આપી રહ્યાં છે. બાકીનાને પરત મોકલી રહ્યા છે. આવી જ પ્રક્રિયા દાદરા નગર હવેલીના પ્રવેશદ્વાર પર પણ ઉભી કરવામાં આવી હોય બંને પ્રદેશના મુખ્ય માર્ગની ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે.

ABOUT THE AUTHOR

...view details