ગુજરાત

gujarat

By

Published : Sep 16, 2021, 1:41 PM IST

ETV Bharat / city

વિશ્વ ઓઝોન દિવસ: 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે

આજે સમગ્ર વેશ્વિક ઓઝોન દિવસની ઉજવણી કરી રહ્યું છે. પરંતુ આ જ દિવસે સમગ્ર વિશ્વ માટે એક માઠા સમાચાર પણ આવી રહ્યા છે. બે મહિના પહેલા જ આઈ. પી.સી.સી.ના રિપોર્ટમાં દેશભરના 150 દેશોનું વૈજ્ઞાનિકોએ ક્લાઈમેટ ચેન્જ ઉપર અભ્યાસ કર્યો જેમાં તારણ આવ્યું કે વર્ષ 2050 નહીં પણ 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે જ્યારે વૈશ્વિક તાપમાન 1.5 સેલ્શિયસ સુધિ વધી જવાની ગણતરી છે.

વિશ્વ ઓઝોન દિવસ: 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે
વિશ્વ ઓઝોન દિવસ: 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે

  • ઓઝોન લેયરના પાતળા થવાના કારણે સૂર્યના વિકીરણો જમીનથી પાછાં જઇ શકતા નથી
  • આથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે
  • ગરમીનું પ્રમાણ વધતા ઉત્તર ધ્રુવનો બરફ પીગળી રહ્યો છે.

ન્યુઝ ડેસ્ક: આજે સમગ્ર વિશ્વ વેશ્વિક ઓઝોન દિવસની ઉજવણી કરી રહ્યું છે. પરંતુ આ જ દિવસે સમગ્ર વિશ્વ માટે એક માઠા સમાચાર પણ આવી રહ્યા છે. બે મહિના પહેલા જ આઈ. પી.સી.સી. ના રિપોર્ટમાં દેશભરના 150 દેશોનું વૈજ્ઞાનિકોએ ક્લાઈમેટ ચેન્જ ઉપર અભ્યાસ કર્યો જેમાં તારણ આવ્યું કે વર્ષ 2050 નહીં પણ 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે જ્યારે વૈશ્વિક તાપમાન 1.5 સેલ્શિયસ સુધિ વધી જવાની ગણતરી છે. આ ફેરફરનું મૂળ કરણ એ છે કે ઓઝોન લેયર દિવસે ને દિવસે પાતળું થઈ રહ્યું છે.

આ પણ વાંચો :ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો આજે લેશે શપથ

શું થાય જો ઉત્તર ધ્રુવનો બરફ પીગળે તો?

વાતાવરણમાં સતત ગરમીનું પ્રમાણ વધી જવાને કારણે ઉત્તર ધ્રુવનો બરફ સતત પીગળી રહ્યો છે. જેના કારણે જમીન ઉપર સતત સમુદ્રની સપાટી આગળ આવી રહી છે. અમદાવાદના પર્યાવરણ વિશેષગ્ય મહેશ પંડ્યાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,"દેખીતી રીતે ભલે એવું લાગે કે માત્ર 1.5 ઇંચ સમુદ્રની સપાટીથી શું મોટો ફેર પાડવાનો છે પરંતુ માત્ર 1.5 ઇંચથી મુંબઇ જેવું શહેર આખું ડૂબી શકે છે".

વિશ્વ ઓઝોન દિવસ: 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે

આ પણ વાંચો : કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્ય પણ સી. આર. પાટલના નિવાસ્થાને પહોંચ્યા

ગ્લોબલ વોર્મિંગ માટે ઓઝોન વાયુનું શું મહત્વ છે?

પર્યાવરણ વિશેષગ્ય મહેશ પંડ્યાનું કહેવુ છે કે, "ઓઝોન એટલે ઓક્સિજનના ત્રણ અણુઓ. આ અણુઓ સૂર્યના પારજાંબલી કિરણોથી થતા નુકસાનને રોકે છે. આજ કિરણોને સંપર્કમાં આવતા સ્કિન કેન્સર પણ થઈ શકે છે. ઓઝોન વાયુને કારણે વાતાવરણમાં વધતા તાપમાન ઉપર નિયત્રણ રહે છે. આ નિયત્રણના કારણે ત્રણેય ઋતુઓ બેલેન્સ રહે છે".

ABOUT THE AUTHOR

...view details