ગુજરાત

gujarat

ETV Bharat / city

Devotees Of Shree Ram : દંપતીની ભગવાન પ્રત્યે નિસ્વાર્થ લાગણી, આ રીતે કરે છે ભક્તિ.. - ભાવનગરના રામભક્ત મુકુંદ ત્રિવેદી

ભાવનગરમાં રહેતા મુકુંદ ત્રિવેદી અને તેમના પત્ની 50 વર્ષથી રામની ભક્તિ કરી (Unique Devotion of the Couple in Bhavnagar) રહ્યા છે. આ વખતે તો તેમણે 1 કરોડ વખત રામનામ લખીને (The Couple wrote Ramnaam 1 crore times) અર્પણ કર્યા હતા. જુઓ આ અંગે અહેવાલ.

Unique Devotion of the Couple in Bhavnagar: ભાવનગરમાં દંપતીએ 1 કરોડ વખત રામનામ લખી કરી અદભૂત ભક્તિ, જુઓ
Unique Devotion of the Couple in Bhavnagar: ભાવનગરમાં દંપતીએ 1 કરોડ વખત રામનામ લખી કરી અદભૂત ભક્તિ, જુઓ

By

Published : Jan 13, 2022, 12:19 PM IST

ભાવનગરઃ શહેરમાં રહેતા મુકુંદ ત્રિવેદી (Rambhakta Mukund Trivedi of Bhavnagar) અને તેમના પત્ની છેલ્લા 50 વર્ષથી રામની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે આ વખતે આ દંપતીએ અનોખી રીતે રામની ભક્તિ (Unique Devotion of the Couple in Bhavnagar) કરી છે. તેમણે 1 કરોડ રામનામ લખીને (The Couple wrote Ramnaam 1 crore times) અર્પણ કર્યા હતા. આ સાથે જ તમે તેમને સાંભળીને પણ ચોંકી જશો.

નિવૃત્ત કર્મચારીએ 1 કરોડ વખત રામનામ લખ્યા
ભાવનગરના નિવૃત્ત કર્મચારીની અનોખી રામ ભક્તિ

આ પણ વાંચો-રાજકોટમાં ભોળેનાથની ભક્તિ સાથે કોરોના રસીના ડોઝ

ભાવનગરના વૃદ્ધ દંપતીની વર્ષોની રામભક્તિ

શહેરમાં સરકારી બેન્કના નિવૃત્ત કર્મચારી મુકુંદ ત્રિવેદીએ (Rambhakta Mukund Trivedi of Bhavnagar) પોતાના ગુરુની ઈચ્છા અને પોતાના શોખને પગલે રામનામ જપવાની શરૂઆત કરી હતી. તેમના પત્ની અનસૂયાબેન અને તેઓ બંનેએ રામનું નામ કોરા પુસ્તકમાં લખવાની શરૂઆત કરી હતી. આશરે 10 વર્ષથી રામનામ લખતા મુકુંદભાઈ અને અનસૂયાબેને 1 કરોડ વખત રામ નામ લખીને પોતાની ભક્તિ પૂર્ણ કરી છે. મુકુંદભાઈ આજે 91 વર્ષના છે, પરંતુ તેમના પત્નીનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારે ત્રણ વર્ષથી રામનામ લખવાની ભક્તિને મુકુંદભાઈએ એકલા હાથે લખીને આ કામ પૂર્ણ કર્યું છે.

મુકુંદ ત્રિવેદીના પત્નીનું 3 વર્ષ પહેલા થયું હતું અવસાન

આ પણ વાંચો-પાદરાના રણું ગામે ઐતિહાસિક તુલજા ભવાની મંદિરમાં ભક્તોની ભીડ જામી

એક કરોડ રામનામ લખી ક્યાં અર્પણ કરવામાં આવી અને શું કહે છે પરિવાર

ભાવનગરના મુકુંદ ત્રિવેદી (Rambhakta Mukund Trivedi of Bhavnagar) સવારે 5 કલાક સુધી એક સ્થળ પર બેસીને ટેકો આપ્યા વગર સતત રામનામ લખવાનું કાર્ય કરતા હતા. તેમણે તેમના ગુરુના આદેશ પ્રમાણે આ લખીને રામ મંત્ર મંદિરમાં પુસ્તક અર્પણ કર્યા છે. તેમના પુત્ર શશિકાન્તભાઈએ જણાવ્યું હતું કે, તેમના માતાપિતાની આ ભક્તિ હતી, જેમાં કોઈ ઉદ્દેશ કે અપેક્ષા હોતી નથી.

ABOUT THE AUTHOR

...view details