ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં અનૈતિક સંબંધને કારણે કરાઈ હત્યા, ઘટના CCTVમાં કેદ

ભાવનગર: શહેરમાં અનૈતિક સંબંધોને મામલે હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

By

Published : Oct 25, 2019, 6:56 AM IST

ભાવનગરમાં આડા સબંધને મામલે હત્યા

ભાવનગરમાં ગુરૂવાર રાતે એક યુવાનની અનૈતિક સંબંધને મામલે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના સત્યનારાયણ રોડ પર આવેલી મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા રાજુ ઉર્ફે અજય મકવાણા નામના યુવાનને અશોક ખીમાણીયા નામના ઇસમે છરીના જીવલેણ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી છે. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે ગણતરીની મિનીટોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં આડા સબંધને મામલે હત્યા

અનૈતિક સંબંધના કારણે અગાઉ પણ અનેક હત્યાની ઘટનાઓ બની છે, ત્યારે ગુરૂવાર રાતે આ કડીમાં વધુ ઘટના જોડાઇ છે. શહેરના સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા અજય મકવાણાને આરોપી અશોક ખીમાણીયાએ ઉગ્ર બોલાચાલી બાદ પેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. આ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ CCTV તપાસીને પોલીસે મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

ABOUT THE AUTHOR

...view details