- પાર્થિવ શિવલિંગની પૂજા શ્રાવણ માસમાં સૌથી ઉત્તમ અને ફળ આપનારી
- ભગવાન રામ અને ચંદ્રએ પણ પ્રથમ પાર્થિવ શિવલિંગ (માટીના શિવલિંગ) ની પૂજા કરી હતી
- સવારમાં બનાવી પૂજા અર્ચના કરીને સાંજે જળમાં પધરાવી દેવું પડે છે શિવલિંગને
- ભાવનગરના સીતારામ બાપુ દર વર્ષે કરે છે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા
ભાવનગર: પવિત્ર શ્રાવણ માસ (Shravan Mass) માં પાર્થિવ લિંગની પૂજા સૌથી શ્રેષ્ઠ પૂજા અને ભગવાન શિવ (Lord Shiva) ને પ્રસન્ન કરનારી ભક્તિ માનવામાં આવે છે. સોમનાથનું શિવલિંગ હોય કે રામેશ્વરનું શિવલિંગ (Shivling) પરંતુ તેની સ્થાપના સૌ પ્રથમ માટીના શિવલિંગ (Shivling) એટલે પાર્થિવ શિવલિંગ રૂપે કરાઈ અને ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા. ભાવનગરના સીતારામ બાપુ પણ દમપૂર્ણ શ્રાવણ માસમાં પાર્થિવ લિંગની પૂજા કરે છે. શું મહત્વ છે ચાલો સમજીએ..
આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
કેમ સૌથી શ્રેષ્ઠ ભક્તિ પાર્થિવ લિંગની માનવામાં આવે છે જાણો
શ્રાવણમાસ (Shravan Mass) માં શિવ બહાર આવે એટલે એક માસ ભગવાનને રીઝવવા ભક્તો અલગ અલગ પ્રકારે ભક્તિ કરે છે. આમ તો ભગવાન વિષ્ણુ નિંદ્રામાં જતા આસુરી શક્તિઓ પ્રબળ બને છે. તેથી તેને ડામવા માટે ઉપવાસ, વ્રત કરવામાં આવે છે પણ વિષ્ણુ નિંદ્રામાં જતા હોય પણ શિવ પોતાની તપસ્યાથી બહાર આવતા શ્રાવણ માસ (Shravan Mass) નો પ્રારંભ થાય છે. તેથી ઉપવાસ, વ્રત અને શ્રાવણ માસ આસુરી શક્તિ સામે રક્ષણ આપે છે. શ્રાવણમાં પાર્થિવ લિંગ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવ (Lord Shiva) ઝડપથી પ્રસન્ન થાય છે.