ગુજરાત

gujarat

By

Published : Aug 2, 2020, 9:13 PM IST

ETV Bharat / city

દેશનો પ્રથમ પ્રયોગ: ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી વિસ્તારને સેનીટાઇઝ કરાયો

ઋષિમુનિઓની શાસ્ત્રની પરંપરા મુજબ ભાવનગર શહેરના સિન્ધુનગર વિસ્તારને સેનીટાઇઝ કરવા મંજૂરી આપી જેને પગલે દેશમાં પ્રથમ વિસ્તારને સેનીટાઇઝ યજ્ઞ હવનથી કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

Yajna therapy in Bhavnagar
ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી સેનીટાઇઝ

ભાવનગર: શહેરમાં ડો. ઓમ. ત્રિવેદીએ ઋષિમુનિઓની શાસ્ત્રની પરંપરા મહાનગરપાલિકાને દર્શાવવામાં આવતા મનપાએ સિન્ધુનગર વિસ્તારને સેનીટાઇઝ કરવા મંજૂરી આપી જેને પગલે દેશમાં પ્રથમ વિસ્તારને સેનીટાઇઝ યજ્ઞ હવનથી કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી સેનીટાઇઝ

કોરોના મહામારી બાદ ભારતને હવે ફરી જૂની શાસ્ત્રોક્ત વિધિ પર વિશ્વાસ મૂકી પરિણામ મેળવવા માટે હવે હવન પદ્ધતિ જાહેરમાં આવી છે. ભાવનગરના ડો. ઓમ ત્રિવેદીએ શહેરના સિન્ધુનગર વિસ્તારમાં સામુહિક હવન કરી હવન યાત્રા દેશમાં પ્રથમ વખત યોજી કોરોનાને હરાવવા મેદાનમાં આવી ગયા છે. હવન યાત્રાથી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી સેનીટાઇઝ

ભાવનગરના ડો. ઓમ ત્રિવેદી યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય રહી ચૂકેલા તેમના ઘરમાં 365 દિવસ હવન કરવામાં આવે છે. ત્યારે ડો. ઓમ ત્રિવેદીએ કોવિડ 19માં હવન થેરાપી ખૂબ જ મહત્વની હોવાનું અને દરેક પ્રકારના વિષાણુને મારવાની ક્ષમતા ધરાવે છે. હવનથી ઉત્પન્ન થતો ધુમાડો વિષાણુને મારવાનું કામ કરે છે, જેથી ઓમ ત્રિવેદીએ મહાનગરપાલિકાને હવન થેરાપી વિશે જણાવતા મહાનગરપાલિકાએ શહેરના સિન્ધુનગર વિસ્તારમાં સામુહિક હવન માટે મંજૂરી આપી દેશનો પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી સેનીટાઇઝ

ભારતના ચાર વેદમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અલગ અલગ લાકડાની સમીધાઓ અનેવતેમાં અગ્નિ પ્રગટ કરીને ગાયત્રી મંત્ર સાથે વિવિધ ઔષધિઓ જેમ કે, કપૂર, ગુગળ, તલ, બીલીપત્રના પાન વગેરે જેટલી ઔષધિઓ વિષાણુનો નાશ કરે છે. ત્યારે ડો ઓમ ત્રિવેદી પોતાના ઘરમાં તો કરે છે પણ કોરોનાને નાથવા મહાનગરપાલિકાની રજૂઆત કરી અને મનપા દ્વારા સિન્ધુનગર વિસ્તાર આપતા આજે સિન્ધુનગરના એક મેદાન ખાતે યજ્ઞ કુંડીઓ લાવવામાં આવી અને વિવિધ ઔષધિઓ મારફત ગાયત્રી મંત્રની આહુતિ આપ્યા બાદ સમગ્ર સિન્ધુનગર વિસ્તારમાં યજ્ઞ યાત્રા કાઢીને હવન કુંડીના ધુમાડાથી સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંધી સમાજના આગેવાન અને મનપાના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સિન્ધુનગરમાં સેનીટાઇઝ કરવા પાછળનું મહત્વ સમજી શકાય છે કે, તંત્ર જાહેરમાં ભલે કશું જાહેર ન કરે પણ હાલ યજ્ઞ થેરાપી માટે સિન્ધુનગરની પસંદગી સ્પષ્ટ કરે છે કે આ વિસ્તાર વધુ પ્રભાવિત છે. જો કે, ડો ઓમ ત્રિવેદીએ 73 ઔષધિઓ સાથે 127 કિલો હવન સામગ્રી સાથે દેશનો પ્રથન યજ્ઞ સેનીટાઇઝનો પ્રયોગ આજે ભાવનાગરમાં કરીને ફરી દેશ અને વિશ્વને ભારતના ઋષિ મુનિઓની પદ્ધતિ સમજાવી છે.

ABOUT THE AUTHOR

...view details