ગુજરાત

gujarat

By

Published : Apr 2, 2022, 7:42 PM IST

ETV Bharat / city

Sugarcane Juice In Summer: ઉનાળામાં શેરડીનો રસ પીવાથી થાય છે અનેક ફાયદા, દાંત અને લીવર બને છે મજબૂત

આર્યુવેદમાં શેરડીના રસને ઉનાળા (Sugarcane Juice In Summer)ની ઋતુ દરમિયાનનું શ્રેષ્ઠ પીણું માનવામાં આવ્યું છે. શેરડી શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં ગુણકારી હોય છે. શેરડીનો રસી શક્તિવર્ધક હોય છે. ઉનાળામાં શેરડીના રસના ફાયદાઓ વિશે ભાવનગરના ડૉક્ટર રાજુ રોજીયાએ Etv Bharat સાથે વાત કરી હતી.

ઉનાળામાં શેરડીનો રસ પીવાથી થાય છે અનેક ફાયદા, દાંત અને લીવર બને છે મજબૂત
ઉનાળામાં શેરડીનો રસ પીવાથી થાય છે અનેક ફાયદા, દાંત અને લીવર બને છે મજબૂત

ભાવનગર: શિયાળામાં આવતી શેરડીગરમ અને ઠંડી (Sugarcane Juice In Summer) બંને ઋતુમાં ગુણકારી છે. શેરડી શિયાળા (Sugarcane Juice In Winter) અને ઉનાળા બંને ઋતુમાં ગુણકારી (Benefits Of Sugarcane Juice) કઈ રીતે છે તેના વિશે Etv Bharatએ ડૉક્ટર રાજુ રોજીયા સાથે વાત કરી હતી. આકરો ઉનાળો એટલે ગ્રીષ્મ ઋતુ, જેને આયુર્વેદ (sugarcane juice In ayurveda)માં આદાનકાળ કહેવામાં આવે છે. જેનો પ્રારંભ ઉત્તરાયણથી શરૂ થાય છે.

આયુર્વેદમાં શિયાળામાં શેરડીને મોઢેથી તોડીને આરોગવાની પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવી છે.

આ પણ વાંચો:Price of Sugarcane Farmers : શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પોષણ ક્ષમ ભાવ મળે એવી કરી માંગ

શેરડી શિયાળો અને ઉનાળા બંને ઋતુમાં શ્રેષ્ઠ કેમ?- આમ તો શેરડી (sugarcane cultivation in gujarat)ની શરૂઆત શિયાળામાં ઉત્તરાયણથી થઈ જાય છે. આયુર્વેદમાં શિયાળામાં શેરડીને મોઢેથી તોડીને આરોગવાની પદ્ધતિને (sugarcane consumption in gujarat) શ્રેષ્ઠ ગણાવી છે. આથી દાંત અને લીવર મજબૂત બને છે. જ્યારે ઉનાળામાં શેરડીનો રસ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. રસ શરીરમાં તાત્કાલિક શક્તિ પ્રદાન કરે છે. આયુર્વેદમાં શેરડીને ગરમીમાં શક્તિ આપતું શ્રેષ્ઠ પીણું (best drink in the heat) ગણવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Organic Farming in Jamnagar : પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ

ડાયાબિટીઝના દર્દીઓ પણ પી શકે છે- ડૉક્ટર રાજુ રોજીયાએ જણાવ્યું હતું કે, ઉનાળામાં શેરડીનો રસ તાત્કાલિક શક્તિ આપે છે. તેનું કારણ ગ્લુકોઝ વધુ માત્રામાં હોવાથી અને પ્રવાહી રૂપે હોવાથી શરીરના દરેક ભાગે ઝડપથી પહોંચી જાય છે. આયુર્વેદમાં સિસોડાના રસને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શેરડીનો રસ ડાયાબિટીસના દર્દીઓ શરીરમાં સુગર ઓછું હોય ત્યારે ગરમીથી બચવા પી શકે છે, જેથી તેમના શરીરમાં ઊર્જા રહે અને શક્તિ યથાવત રહે છે.

ABOUT THE AUTHOR

...view details