ભાવનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનાનો આંકડો 5 હજાર નજીક પહોંચવા આવ્યો છે અને રોજ 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. તેવામાં મહાનગરપાલિકા દ્વારા વડીલ અને દિવ્યાંગો માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
ભાવનગર મનપાની નવી યોજના, ‘ટેસ્ટ ઓન કોલ’ અંતર્ગત ઘરે બેઠા રેપીડ ટેસ્ટ થશે - ઘરે બેઠા કોરોનાનો ઇલાજ
ભાવનગરમાં કોરોના સંક્રમણને રોકવા મહાનગરપાલિકાએ વડીલો અને દિવ્યાંગો માટે નવી યોજના ‘ટેસ્ટ ઓન કોલ’ અમલમાં મૂકી છે. આ યોજનામાં ઘરે જઈને મનપાની ટિમ ફ્રીમાં તપાસ કરી આપશે. જો કે, લાભ લેનારા વ્યક્તિઓએ એક કોલ કરી વોટ્સએપ નંબર દ્વારા તેમાં આધારકાર્ડ બતાવવાનું રહેશે. જેના આધારે ઘરે બેઠા ફ્રીમાં રેપીડ ટેસ્ટ થશે.
ભાવનગર મનપાની નવી યોજના
કોરોના મહામારીમાં લોકો હવે ઘરે ઉપચાર કરતા થઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાએ નવો નુસખો અપનાવ્યો છે. રાજ્યમાં ભાવનગર મનપાએ નવી યોજના ‘ટેસ્ટ ઓન કોલ’ અમલમાં મુકવામાં આવી છે. જેમાં વડીલો અને દિવ્યાંગો માટે એક ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એક કોલ ઉપર મનપાની ટિમ દિવ્યાંગ અને વડીલોને ઘરે જઈને સારવાર કરશે. આ સેવા કોરોના માટેના રેપીડ ટેસ્ટ માટે ઉભી કરવામાં આવી છે.