- ભાવનગરમાં ફ્લાઈઓવરથી પ્રજા ત્રસ્ત
- ફ્લાઈઓવરનુ ડાઈવર્ઝન ન હોવાને કારણે ટ્રાફિક
- ડાઈવર્ઝન ન હોવાને કારણે પ્રજા ભોગવી રહી છે હાલાકી
ભાવનગર: શહેરમાં પ્રજાની સુવિધા માટે ફ્લાઈઓવર બનાવવામાં આવી રહ્યો છે પણ આ ફ્લાઈઓવર પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. ફ્લાઈઓવર સાઈટ પર કોઈ ડાયવર્ઝન ન હોવાને કારણે પ્રજાને મુશ્કેલીઓ પડી રહી છે. સાઈટની બાજુમાં જ રેલવેની પડતર જમીન આવેલી છે જેને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવા માટે પાલિકા દ્વારા અનેકવાર બેઠકો કરવામાં આવી છે. ચાર મહિનાથી રેલવે તંત્ર મહાનગરપાલિકાને ગોળ ગોળ ફેરવી રહી છે.ભાજપના સાંસદથી લઈને નગરસેવક સુધીના પદ હોવા છતાં રેલવે ગાઠતું નથી. હજુ ક્યારે થશે તેની ખબર નથી અને ડાયવર્જન નહિ મળવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
બેરીકેટના લીધી રસ્તો સાંકળો બન્યો
દેસાઈનગરમાં ફલાયઓવર બનાવવાનો પ્રારંભ એક વર્ષથી થયો છે. ફલાયઓવર સાઈટ પર બેરીકેટ નાખવાથી રસ્તો સાંકડો બની ગયો છે. સાઈટની બાજૂ માંજ રેલવેની જમીન આવેલી છે પણ અનેક વાર માંગણી કરતા જમીન પાલિકાને મળી નથી જેના કારણે રોડ સાંકળો બની ગયો છે અને અવાર- નવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચો : રાજુલાના રેલવેના પ્રશ્નોને લઈ પોરબંદર કોંગ્રેસનું સમર્થન, રેલ રોકો આંદોલન કરવા જતા 11ની ધરપકડ