ગુજરાત

gujarat

ETV Bharat / city

Moraribapu Letters to PM : કથાકાર મોરારિબાપુએ પંજાબ ઘટનાના પગલે વ્યાસપીઠ પરથી PMને લખ્યો પત્ર - પીએમ સુરક્ષા ચૂક મામલો 2022

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષા ચૂકના મામલે કથાકાર મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું છે. જયપુરમાં ચાલતી કથા દરમ્યાન તેમણે પીએમને પત્ર (Moraribapu Letters to PM) લખ્યો છે. આ પત્રમાં શું લખ્યું છે જાણો.

Moraribapu Letters to PM : કથાકાર મોરારિબાપુએ પંજાબ ઘટનાના પગલે વ્યાસપીઠ પરથી PMને લખ્યો પત્ર
Moraribapu Letters to PM : કથાકાર મોરારિબાપુએ પંજાબ ઘટનાના પગલે વ્યાસપીઠ પરથી PMને લખ્યો પત્ર

By

Published : Jan 7, 2022, 8:13 PM IST

ભાવનગરઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા અને સુરક્ષામાં થયેલી ચૂકને (PM Security Breach 2022 ) પગલે ભાવનગર જિલ્લાના સંત મોરારિબાપુએ પોતાની જયપુરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી દુઃખ વ્યક્ત કરતો પત્ર વડાપ્રધાનને લખ્યો છે. મોરારિબાપુએ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થવાની પંજાબની ઘટનાને પગલે પીડા થઇ હોય તેનું દુઃખ વ્યક્ત પત્ર ((Moraribapu Letters to PM) ) દ્વારા રજૂ કર્યું છે.

તેમણે વડાપ્રધાનને લખ્યો છે જે આ મુજબ છે.

" ॥રામ॥
દેશ અને દુનિયામાં વરિષ્ઠ અને બલિષ્ઠ રાજપુરુષ અને ભારત વર્ષનાં આદરણીય તથા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી!
જય સિયારામ! પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવી છે; પરમાત્મા સૌને સદ્બુદ્ધિ આપે.
આપ આપણાં દેશના પ્રધાનમંત્રી છો, એની સાથેનો જે વ્યવહાર થયો તે ખૂબ જ અપ્રિય ઘટના છે. ખેર! પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુ ને વધુ શક્તિ-બળ-તંદુરસ્તી અર્પણ કરે એવી હનુમાનજીના ચરણોમાં મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના! મારી રામકથાની વ્યાસપીઠ સાથે જોડાયેલાં સૌ ભાઇ-બહેનોની પ્રાર્થના!
રામ સ્મરણ સાથે,
પ્રણામ! જય સિયારામ!
(મોરારિબાપુ)

રામકથા,
જયપુર.
06-01-2022 "

આ પણ વાંચોઃ PM Security Breach In Punjab: BJP અધ્યક્ષ નડ્ડાએ કર્યા ધડાધડ ટ્વીટ્સ, પંજાબના CMને લઇને કર્યો મોટો ખુલાસો

આ બની હતી ઘટના

આપને જણાવીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ જાન્યુઆરીના રોજ પંજાબના પ્રવાસે હતાં. પરંતુ પંજાબમાં તેમની જાહેર સભાના સ્થળે પહોંચે તે પહેલાં જ તેઓએ 20 મિનિટ સુધી એક ઓવર બ્રિજ ઉપર ઊભા રહેવાની ફરજ (PM Security Breach 2022) પડી હતી. આગળ ટ્રાફિકજામ હતો અને તેમનો કાર્યક્રમ તેઓ અડધો મૂકીને ત્યાંથી ભટીંડા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતાં. એરપોર્ટના અધિકારીઓને તેમણે કહ્યું હતું કે, "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા" આવું નિવેદન કરીને તેઓએ પોતાની જાનના જોખમ અંગેની જાહેરાત (PM Narendra Modi Security Breach) કરી હતી. આ ઘટનાના દેશભરમાં પડઘા પડ્યાં છે.

આ પણ વાંચોઃ PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

મોરારિબાપુનો પીએમને લખેલો પત્ર
મોરારિબાપુનો પીએમને લખેલો પત્ર
મોરારિબાપુનો પીએમને લખેલો પત્ર

ABOUT THE AUTHOR

...view details