- રાઘવ મકવાણાને રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન અપાયું
- રાઘવ મકવાણાએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ કર્યું છે
- વર્ષોથી સંગઠનમાં વફાદારી પૂર્વક કામ કર્યું છે
ભાવનગર- ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. જેમાં રાઘવ મકવાણાને રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. 8 ઓક્ટોબર 1970 માં ચોંડાભાઈ મકવાણાને ત્યાં પઢીયારકા ગામે જન્મેલા રાઘવઈ મકવાણા ખૂબ નાની ઉંમરથી રાજકારણમાં અગ્રેસર રહ્યા છે અને સાથે અભ્યાસમાં પણ રુચિ દાખવતા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ પૂર્ણ કર્યું છે.
રાઘવ મકવાણાએ ભાજપ મહાપ્રધાન તરીકે સંગઠન માટે સેવા આપી