ગુજરાત

gujarat

ETV Bharat / city

હું ભાવનગરનો ચિત્રા ફુલસર વોર્ડ અને આ મારી વાત...

ભાવનગર શહેરનો પ્રવેશદ્વાર જ ચિત્રા ફુલસર વોર્ડમાં છે. જો ચિત્રા ફુલસર વોર્ડની સમસ્યાની વાત કરીએ તો આ વોર્ડમાં ટ્રાફિકની પ્રાથમિક સમસ્યા જોવા મળે છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

By

Published : Jan 27, 2021, 10:50 AM IST

Updated : Jan 27, 2021, 1:40 PM IST

ds
ds

  • ભાવનગરમાં ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1ની સમસ્યાઓ
  • વોડર્માં ટ્રાફિકની મુખ્ય સમસ્યા
  • આ વોર્ડમાં કુલ 40,348 મતદારો


ભાવનગરઃ ભાવનગર શહેરનો પ્રવેશદ્વાર જ ચિત્રા ફુલસર વોર્ડમાં છે. જો ચિત્રા ફુલસર વોર્ડની સમસ્યાની વાત કરીએ તો આ વોર્ડમાં ટ્રાફિકની પ્રાથમિક સમસ્યા જોવા મળે છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 40,348 છે. વોર્ડ નંબર 1માં પહેલેથી જ કોંગ્રેસનો દબદબો રહ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982મા થઈ અને મારી ઉત્પત્તિ થઈ ચિત્રા ફુલસર વોર્ડ તરીકે હા હું 1982 થી ભાવનગર શહેરનો અહમ હિસ્સો છું. ભાવનગર શહેરમાં પ્રવેશતા લોકોને મારા વિસ્તારમાં થઈને જ નીકળવું પડે છે. હું ચૂ ચિત્રા ફુલસર વોર્ડ અને મને ક્રમાંક આપવામાં આવ્યો છે 1 તો ચાલો જોઈએ મારા વિસ્તારની સમસ્યાઓ

હું ભાવનગરનો ચિત્રા ફુલસર વોર્ડ અને આ મારી વાત

ચિત્રા ફુલસર વોર્ડમા મતદારો કેટલા અને કેવો મિજાજ

ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડમાં 21,281 પુરુષો છે અને 19066 સ્ત્રીઓ છે, આમ કુલ મળીને 40,348 જેટલા મતદારો છે. આ વોર્ડમાં મતદારોનો મિજાજ હજુ જુનીં કોંગ્રેસની વિચારધારાવાળો છે એટલે અહીંયા કોંગ્રેસનો દબદબો છે. 2015ની ચૂંટણીમાં પણ મોદી મેજીક વચ્ચે મતદારોએ ચારમાંથી ત્રણ બેઠક કોંગ્રેસને આપી હતી. આ વિસ્તારને કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે, ભાવનગરમાં ચિત્રા ફુલસર વોર્ડમાં કોંગ્રેસનો દબદબો છે.

વોર્ડના જાણીતા વિસ્તારો

દેસાઈનગર
ગાયત્રી મંદિર
મસ્તરામ બાપા મંદિર - ચિત્રા
માર્કેટિંગ યાર્ડ
ફુલસર
ચિત્રા જીઆઇડીસી
ગણેશનગર
મીલેટ્રી સોસાયટી

વોર્ડમાં શું છે સમસ્યાઓ

ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમાં રાજકોટ હાઇવે પસાર થાય છે. શહેરમાં પ્રવેશવાનો રસ્તો અહીંથી પસાર થાય છે. જયાં શરૂઆતમાં ટ્રાફિક સમસ્યા મોટા પ્રમાણમાં રહે છે. હાલ તો સિક્સલેનનુ કામ શરૂ છે, પણ જમીન સંપાદનના કારણે વિલંબ થઈ રહ્યો છે. આ વોર્ડના બાહ્ય વિસ્તારમાં પાણીની લાઇન અને રસ્તા વગેરેની સમસ્યાઓ હોવાથી લોકો માંગ કરી રહ્યા છે નારી ચોકડી સર્કલ શહેરનું પ્રવેશ બિંદુ છે પણ સર્કલની દશા શહેરની છાપ છોડે છે. આ વોર્ડમાં ગાયની સમસ્યા અને અનેક વિસ્તારોમાં જોવા મળે છે.

નગરસેવકોએ શું કર્યા વિકાસના કામો

ભાજપ અને કોંગ્રેસના બંને નગરસેવકો હોવા છતાં નાની મોટી સોસાયટીઓમાં બ્લોક નાખવા અને રસ્તા બનાવવા જેવા કામો કર્યા છે. નગરસેવકોએ 10 લાખની પોતાની બધી ગ્રાન્ટ ઉપયોગ કરી લીધી છે. કોઈએ 70/30 યોજનામાં ફાળો આપ્યો છે તો કોઈએ નાના મોટા પાણી ડ્રેનેજ લાઈનમાં ફાળો આપીને સમાજ સેવાનું કામ કર્યું છે. આમ, ચાર નગરસેવકની એક વોર્ડની 40 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સમસ્યા હલ કરવામાં અગ્રેસર રહેતા વોર્ડના કોંગ્રેસ નેતાઓના કારણે તેમના નગરસેવકો ચૂંટાતા આવ્યા છે.

Last Updated : Jan 27, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details