- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સિહોર ખાતે કર્યો સરપંચો સાથે સંવાદ
- મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ,સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પમાળા અર્પિત
- મેઘાણી ઓડીટરીયમ ખાતે કાર્યકર્તા અને પેજ પ્રમુખો સાથે કર્યો સંવાદ ભાવનગરમાં સી.આર.પાટીલે કાર્યકર્તાઓ અને પેઇઝ પ્રમુખો સાથે સવાંદ કર્યો
ભાવનગર :ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ખાતે 400 થી વધુ સરપંચો સાથે સી આર પાટીલે સીધો સંવાદ કર્યો હતો.સીધો સંવાદ કાર્યક્રમમાં સી.આર.પાટીલ સિહોર પહોચતા જ સરપંચો તેમજ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ટ્રેક્ટર રેલી સ્વરૂપે સ્વાગત કર્યું હતુ.પ્રદેશ પ્રમુખના આગમન સમયે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ,રાજ્ય પ્રધાન વિભાવરીબેન દવે ,પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,સાંસદ ભારતીબેન શિયાળ ,ગોરધન ઝડપીયા ,કુંવરજીભાઈ બાવળીયા,સિહોર ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સરપંચો સાથે કર્યો સંવાદ
ભાવનગર શહેરના નારી ચોકડી થી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કાર્યકર્તાઓ દ્વારા બાઈક અને મોટરકાર દ્વારા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં પહોચ્યા હતા.રેલી દરમિયાન પ્રદેશ પ્રમુખ દ્વારા આર.ટી.ઓ સર્કલ પાસે સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ નિલમબાગ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રતિમાને પુષ્પ માળા અર્પિત કરી સરદારનગર ઓડીટોરીયમ ખાતે પહોચેલા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઢોલનગારા સાથે સ્વાગત કરી આતશબાજી કરવામાં આવી હતી.