ગુજરાત

gujarat

Double Murder: ભાવનગરમાં એક જ દિવસમાં 2 હત્યા, મહિલાનો મૃતદેહ ફ્લેટમાં બાંધેલી હાલતમાં મળ્યો

By

Published : Jul 9, 2021, 2:45 PM IST

ભાવનગર શહેરમાં ગુનાઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે ફરી એક વાર શહેરમાં એક જ દિવસમાં 2 હત્યાના બનાવ (Double Murder) બન્યા છે. હજી તો વરતેજના (Vartej area) સગીર યુવકની હત્યાનો મામલો ઉકેલાયો નહતો ને તેવામાં સાંજે તખ્તેશ્વર વિસ્તારમાં (Takhteshwar area) આવેલા ટીબી ઝેડની સામે આવેલી જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના બીજા માળેથી એક મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. તો પોલીસે

Double Murder: ભાવનગરમાં એક જ દિવસમાં 2 હત્યા, મહિલાનો મૃતદેહ ફ્લેટમાં બાંધેલી હાલતમાં મળ્યો
Double Murder: ભાવનગરમાં એક જ દિવસમાં 2 હત્યા, મહિલાનો મૃતદેહ ફ્લેટમાં બાંધેલી હાલતમાં મળ્યો

  • ભાવનગરમાં એક દિવસમાં બે હત્યાના બનાવથી (Double Murder) ચકચાર
  • બંધ ફ્લેટમાંથી મહિલાનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • સવારે સગીર યુવકનો મૃતદેહ મળ્યો હતો, પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી

ભાવનગરઃ શહેરમાં એક દિવસમાં બે હત્યાના બનાવથી શહેર ફરી રક્તરંજીત બન્યું છે. શહેરમાં વરતેજ નજીક નાની વયના યુવક અને 30 વર્ષની મહિલાનો મૃતદેહ બાંધેલી હાલતમાં ફ્લેટમાંથી મળતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ આદરી હતી. ફ્લેટ બીજાની માલિકીનો અને મૃતકની મહિલાનો રહેણાંક અલગ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃMURDER NEWS : અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની હત્યા

મહિલાનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો

વરતેજના સગીર યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં શહેરમાં સાંજે તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા ટીબી ઝેડની સામે આવેલી જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફ્લેટના બીજા માળેથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતીનું નામ અંકિતા પ્રકાશભાઈ જોશી (ઉં.વ. 28) હોવાનું જણાયું હતું. જ્યારે તે ભાંગલી ગેટ પાસે રહેતી હતી અને તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃકડી હત્યા કેસઃ 17 વર્ષથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ, ગુજરાતની પ્રથમ આરોપી કે જેને પકડવા માટે સરકારે ઇનામ જાહેર કર્યુ હતું

યુવતી બોરડીગેટ વિસ્તારની અને મૃતદેહ મળ્યો ફ્લેટ બીજાનો

યુવતીનો મૃતદેહ તખ્તેશ્વર પાસેના ફ્લેટમાંથી મળ્યો છે અને તે ફ્લેટ વેપારી હેમેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ શાહની માલિકીનો છે. મૃતદેહ ગોદડામાં વિંટાળેલી હાલતમાં મળ્યો છે. મૃતદેહ ફ્લેટમાં લાવવામાં આવ્યો કે ફ્લેટમાં હત્યા કરીને ત્યાં જ રાખી દેવામાં આવ્યો છે. તે પણ તપાસનો વિષય બન્યો છે. સાથોસાથ મૃતક અંકિતા જાેશી અહીં આ ફ્લેટમાં શા માટે આવી હતી તે પણ તપાસનો વિષય છે.

મહિલાની ઓળખ થઈ જ્યારે યુવકની બાકી

સમગ્ર મામલે અધિકારી સફિન હસને વાતચીતમાં જણાવ્યું હતું કે, અંકિતા જાેશીની ઓળખ થઈ છે અને આ ફ્લેટ હેમેન્દ્ર શાહની માલિકીનો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની અને તપાસના ચક્રો ગતિમાન કરવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details