ગુજરાત

gujarat

By

Published : May 16, 2021, 7:46 PM IST

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાને લઈને રો રો ફેરી સર્વિસ બે દિવસ બંધ

આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા તૌકતે વાવાઝોડાને કારણે દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ 17 અને 18 મે ના દિવસે બંધ રાખવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને લઈને રો રો ફેરી સર્વિસ બે દિવસ બંધ
તૌકતે વાવાઝોડાને લઈને રો રો ફેરી સર્વિસ બે દિવસ બંધ

  • સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે રો રો ફેરી સર્વિસ બંધ
  • આગામી બે દિવસ વાવાઝોડાની આગહીના કારણે રો રો ફેરી સર્વિસ બંધ
  • 17 અને 18 મે ના રોજ રો રો ફેરી સર્વિસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય

ભાવનગર: હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘોઘા રો રો ફેરી સર્વિસને આગામી 17 અને 18 મે દરમિયાન સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવી છે.

બે દિવસ માટે રહેશે બંધ

હવામાન વિભાગ દ્વારા 17 અને 18 મે ના રોજ તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા દરિયાકાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઘોઘા ખાતે ચાલતી રોપેક્ષ ફેરી સર્વિસને આગામી 17 અને 18 મે દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details