ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં કોરોનાનો કહેર, કુલ આંકડો 3824 પર પહોંચ્યો - ભાવનગર કોવિડ 19

ભાવનગર શહેરમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી આ આંકડો 3824 કેસ સુધી પહોંચી ગયો છે, જ્યારે 3,361 લોકો સ્વસ્થ થયા છે. ત્યારે શહેરમાં રોજના આવતા 50 કેસ જરૂર ચિંતા ઉત્પન્ન કરી રહ્યા છે.

bhavnagar
bhavnagar

By

Published : Sep 22, 2020, 6:34 AM IST

ભાવનગર :શહેરમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી આ આંકડો 3824 કેસ સુધી પહોંચી ગયો છે, જ્યારે 3,361 લોકો સ્વસ્થ થયા છે. ત્યારે શહેરમાં રોજના આવતા 50 કેસ જરૂર ચિંતા ઉત્પન્ન કરી રહ્યા છે.
ભાવનગર શહેરમાં કોરોનાનો આંકડો 4000ની નજીક પહોંચી ગયો છે . ભાવનગરમાં 21 સપ્ટેમ્બરના રોજ 38 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાનને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બનાવી છે. ભાવનગર જિલ્લાનો આંકડો 3824 પહોંચી ગયો છે. ભાવનગરમાં દિવસ દીઠ કોરોનાના કેસો 20થી 30 જોવા મળી રહ્યા છે. તો ક્યારેક 30ને પાર પણ0 પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે. 21 સપ્ટેમ્બરના દિવસે 38 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
ભાવનગર સાથે જિલ્લામાં પણ કેસ આવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 3361 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 62 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 394 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details