ભાવનગરશહેરનો કુંભારવાડા વિસ્તારમાં (Bhavnagar Kumbharwada area) મોડી રાત્રે 20 વર્ષીય યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. પિતા સ્થળ પર પહોંચી હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે યુવાનની અગાવ કોઈ અન્ય યુવાન સાથે બોલાચાલીને પગલે (young man lost his life due to brawl) પિતાએ હત્યાની ફરિયાદ અન્ય શખ્સ સામે નોંધાવી છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રે યુવાનની તીક્ષ્ણ હથિયારથી ઇજા કરીને હત્યા(Boy killed with a sharp weapon in Kumbharwara) કરવામાં આવી હતી. આ બનાવ બાદ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે યુવાનની હત્યા બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
કુંભારવાડામાં મોડી રાત્રે બોલાચાલીનો મામલો ફેરવાયો હત્યામાં - ભાવનગરના કુંભારવાડામાં છોકરાની હત્યા
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રે 20 વર્ષીય યુવાન મૃત (Boy dead body found in Kumbharwada of Bhavnagar)અવસ્થામાં મળી આવ્યો હતો. કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રે યુવાનની તીક્ષ્ણ હથિયારથી ઇજા કરીને હત્યા (Boy killed with a sharp weapon in Kumbharwara) કરવામાં આવી હતી. આ યુવકના પિતા અન્ય યુવાન સાથે બોલાચાલીને પગલે અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે યુવાનની હત્યા બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

મોડી રાત્રે કુંભારવાડામાં હત્યાનો બનાવભાવનગર શહેરના કુંભારવાડા મફતનગરમાં રહેતા સુરેશ ગોહેલના 20 વર્ષીય પુત્ર સાહિલ ઉર્ફે ઉધડો મોડી રાત્રે બહાર કુંભારવાડાના બાનુબેનની વાડી શેરી નંબર 7 પાસે લોહી લુહાણ હાલતે પડ્યો હતો. સુરેશને ફોન આવતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં સાહિલ જવાબ નહીં આપતા રિક્ષામાં સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરે મૃત (A boy murdered in Kumbharwara Bhavnagar) જાહેર કર્યો હતો.
હત્યા પાછળ પિતાનો વાર અને કારણ16 સપ્ટેમ્બર 2022ના રાત્રે મજૂરી કરતા અને ડ્રાઇવિંગ કરતા સુરેશભાઈ ઘરે સુતા હતા અને કોઈનો ફોન આવતા સ્થળે દીકરાને મૃત જોતા પિતા અને માતા ભાંગી પડ્યા હતા. બે દીકરા અને બે દીકરી ધરાવતા સુરેશ કવા ગોહેલ કુંભારવાડામાં રહેતા નીતિન ઉર્ફે લબક મકવાણા સામે પોલીસ ફરિયાદ (Father filed Police Complain ) નોંધાવી છે. ફરિયાદમાં મૃતક સાહિલને નીતિન સાથે માથાકૂટ થઈ હતી જેની દાઝમાં સાહિલને ઘાતક હથિયાર વડે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવ્યાનું જણાવ્યું છે.