- ભાવનગરનું 127 વર્ષ જૂનું બીલેશ્વર મંદિર આસ્થાનું કેન્દ્ર ભાવેણાવાસીનું
- 127 વર્ષ પહેલાં સ્વયંભૂ શિવલિંગનો જીર્ણોધ્ધાર મહારાજા તખ્તસિંહજીએ કર્યો
- દર વર્ષના શ્રાવણના બીજા સોમવારે બીલેશ્વર દાદાને બર્ફીલા બાબા બનાવાય છે
- વૃધો કે જેઓ અમરનાથ નથી જઈ શકતા તેવા લોકો માટે થાય છે આયોજન
ભાવનગર: રજવાડાએ જીર્ણોદ્ધાર કર્યો અને સ્વયંભૂ પ્રગટ માનવામાં આવતા ભગવાન બીલેશ્વર દાદાના દર્શન શ્રાવણ માસમાં અદભુત હોય છે. શ્રાવણના બીજા સોમવારે બીલેશ્વર દાદાને બર્ફીલા બાબામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. શારીરિક રીતે અમરનાથ સુધી નહિ પહોંચી શકનાર વૃદ્ધો માટે ખાસ અમરનાથનું દર શ્રાવણ માસમાં પ્રતિકૃતિ રૂપે તૈયાર કરી બીલેશ્વર મહાદેવના રૂપને પૂજારીભાઈઓ અમરનાથના રૂપમાં ફેરવે છે.
આ પણ વાંચો- આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, તમામ જ્યોતિર્લીંગોના દર્શન કરો, એક ક્લિકમાં...
બીલેશ્વર મહાદેવનો ઇતિહાસ પૌરાણિક અને અધુરો હજુ પણ
ભાવનગર લના એસટી બસ સ્ટેન્ડ પાસે સરકારી ક્વાર્ટરમાં આવેલા બીલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોધાર 127 વર્ષ પહેલાં મહારાજા તખ્તસિંહજી દ્વારા કરવામાં આવ્યો હતો. એક પણ પગથિયાં વગરના શિવાલયમાં આજે પણ બીલેશ્વર મહાદેવ લોકોનું આસ્થાનું કેંન્દ્ર છે. બીલેશ્વર મહાદેવ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે તેમનો જીર્ણોધ્ધાર થયો, ત્યારે મંદિર બંધાયેલું હતું પણ તેના આગળનો ઇતિહાસ કોઈ પાસે નથી. વર્ષો પુરાણા બીલેશ્વર મહાદેવમાં શ્રાવણ માસમાં ખાસ પૂજા હોય છે.