ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉંમર એક નંબર છે, આવું અનુસરણ કરનાર એક શિક્ષક હજૂ તેની ફરજ નથી ભૂલ્યા - બાળકોને મફત શિક્ષણ

ભાવનગરના એક શિક્ષકે (Bhavanagar School teacher) તનથી નબળા થયા છીએ, મનથી નહિ. તેવા ભાવ સાથે સેવા શિક્ષક તરીકે હજુ ફરજ બજાવી રહ્યા છે. પોતાનો સમય ક્યાં વ્યતીત કરવો તો શિક્ષકનો જવાબ છે પોતાની શાળામાં(Retirement time in Teaching). હા આ શિક્ષક હવે શિક્ષક નથી પણ હા તેઓ શિક્ષક તો છે જ. આવું કેમ જાણો વિગતથી.

ઉંમર એક નંબર છે, જ્યારે હૃદય યુવાન છે, આવું અનુસરણ કરનાર એક શિક્ષક હજૂ તેની ફરજ નથી ભૂલ્યા
ઉંમર એક નંબર છે, જ્યારે હૃદય યુવાન છે, આવું અનુસરણ કરનાર એક શિક્ષક હજૂ તેની ફરજ નથી ભૂલ્યા

By

Published : Jul 5, 2022, 10:17 PM IST

ભાવનગર:મન હોય તો માળવે જવાય હા કહેવત સાર્થજ એક નિવૃત શિક્ષકે કરી બતાવી છે. એક વર્ષ પહેલાં નિવૃત થનાર શિક્ષક આજે પણ શાળામાં જઈને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી( Free Education to Children) રહ્યા છે. તન સશક્ત હોય તો મન મજબૂત કરવું જોઈએ. વયમર્યાદા(Age is just a Limit) જોયા વગર શિક્ષકની અદા પુરી કરી રહ્યા છે. એક શિક્ષક નિવૃત બને ત્યારે કહેતો હોય છે કે, આ મારી શાળા છે પણ તે મારી શાળા નિવૃત્તિ બાદ પણ રહેવી જોઈએ. જો આવા શિક્ષકો હોય તો સરકારી શાળામાં(Government Schools in Bhavnagar) શિક્ષણ સ્તર જરું વધે.

આ મારી શાળા છે પણ તે મારી શાળા નિવૃત્તિ બાદ પણ રહેવી જોઈએ.

આ પણ વાંચો:ડાંગ: નિવૃત શિક્ષકે કાંચની બોટલોમાંથી સુંદર વસ્તુઓનું કર્યું નિર્માણ, જૂઓ અમારા આ વિશેષ અહેવાલમાં...

નિવૃત શિક્ષકે પોતાની શાળામાં જ્ઞાનની ગંગા ચાલુ રાખી -ભાવનગરની શાળા નમ્બર 47માં છેલ્લે આચાર્ય બન્યા બાદ નિવૃત(Bhavnagar School principal) થયેલા જોરસંગ ધોલેતર છેલ્લા એક વર્ષથી પોતાની શાળામાં સમયદાન આપી રહ્યા છે. શાળાના આચાર્ય ભગવતીબેને જણાવ્યું હતું કે, અમારા નિવૃત આચાર્ય રહેલા જોરસંગ ધોલેતર હાલમાં અમારી શાળામાં નિવૃત હોવા છતાં પોયનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. શિક્ષકોની ઘટ વચ્ચે નિવૃત જોરસંગ ભાષા અને ગણિત જેવા વિષયો લઈને વિદ્યાર્થીને મજબૂત કરી રહ્યા છે. શાળામાં શિક્ષકની ઘટ(Teacher Shortage in Government School) છે પણ જો નિવૃત શિક્ષકોની આવી ભાવના હશે તો હાલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેમના અનુભવ પરથી ઘણું શીખવા મળશે.

તનથી નબળા થયા છીએ મનથી નહિ. આ ભાવનાથી અને પિતાનું જ્ઞાન વશચતુ રહેવું જોઈએ. તેવા ઈરાદાથી વિદ્યાર્થીઓ માટે હું નિવૃત હોવા છતાં શાળામાં મારા સમયે આવું છું અને ભણાવું છું.

જોરસંગની સેવા પાછળનો હેતુ અને વિચારધારા -1984માં શિક્ષક તરીકે શિક્ષકની નોકરી શિક્ષણ સમિતિમાં મેળવ્યા બાદ તેઓ CRC પણ રહી ચૂક્યા છે. જોરસંગનો મુખ્ય વિષય ભાષા છે, પરંતુ તેઓ ગુજરાતી અને ગણિત તેમના મનપસંદ વિષય હોવાથી વિદ્યાર્થીઓને બન્ને વિષય ભણાવે છે. જોરસંગનું કહેવું છે કે, તનથી નબળા થયા છીએ મનથી નહિ. આ ભાવનાથી અને પિતાનું જ્ઞાન વશચતુ રહેવું જોઈએ. તેવા ઈરાદાથી વિદ્યાર્થીઓ માટે હું નિવૃત હોવા છતાં શાળામાં મારા સમયે આવું છું અને ભણાવું છું. કોઈ પણ કિંમત લીધા વગર મારી જવાબદારી શિક્ષક તરીકેની અદા કરી રહ્યો છું. શિક્ષકોની હાલમાં ઘટ છે. તેવામાં જો દરેક સશક્ત નિવૃત શિક્ષક હોય તો તેને સેવા આપવી જોઈએ.

ભાવનગરની શાળા નમ્બર 47

આ પણ વાંચો:નિવૃત શિક્ષકે પર્યાવરણના પડકાર સામે બાથ ભીડી, 10 હજાર આંબાની કલમનું વિનામુલ્યે કર્યુ વિતરણ

શિક્ષણ સમિતિમાં શિક્ષકોની સ્થિતિ અને ઘટ - ભાવનગર શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં મહેકમ(Municipal Primary Education Committee) સામે શિક્ષકોની ઘટ છે. 680 આસપાસ મહેકમ હોઈ ત્યાં 550 જેવા શિક્ષકો છે. જેમાં 100 થી વધુ પ્રવાસી શિક્ષકો છે. જ્યારે હજુ 70 થી 90 જેવી ઘટ તો ઊભીને ઉભી છે. આ પરિસ્થિતિમાં જો સશક્ત નિવૃત શિક્ષકો સેવા આપવા લાગે તો કમસે કમ વિદ્યાર્થીઓનું ભાવિ નહિ બગડે અને અન્ય ફરજ પરના શિક્ષકો પર કોઈ ભારણ નહિ વધે. જો કે, ખાલી જગ્યા ભરવાની જવાબદારી સરકારની છે. પરંતુ સરકારી ખાતાથી સૌ કોઈ અજાણ નથી.

ABOUT THE AUTHOR

...view details