ગુજરાત

gujarat

By

Published : Jul 15, 2020, 4:34 PM IST

ETV Bharat / city

ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું

કોરોના વાઇરસની વેક્સીન હવે હાથવેંતમાં છે. આત્મનિર્ભર ભારતના મિશનને ટેકો આપતાં અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થકેરે આજે કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ટ્રાયલ ફેઝમાં કંપની 1000 પાર્ટિસિપેટ્સને ડોઝ આપશે. વેક્સિનની માનવી પર કેવી અસર થાય છે, અને તેની સાઈડ ઈફેક્ટસ થાય છે કે નહી તે ટ્રાયલમાં ખબર પડશે.

ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું
ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું

અમદાવાદઃ ગુજરાત, ભારત અન વિશ્વ માટે આનંદના સમાચાર છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થકેરે કોવિડ-19 વાયરસની વેક્સિન ZYCOV-Dનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીજીસીઆઈ)એ તાજેતરમાં જ ભારતમાં બે વેક્સિનને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી હતી. એકતરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેકને વેક્સિનનું ટ્રાયલ આ સપ્તાહે શરૂ કરી દીધું છે. અને બીજુ ઝાયડસ કેડિલાએ આજે માનવ પરીક્ષણ શરૂ કર્યાના સમાચાર મળી રહ્યાં છે.

ઝાયડસ કેડિલાએ કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કર્યું
ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલ વેક્સિન ડીએનએ આધારિત વેક્સિન છે. અને તે અમદાવાદની વેક્સિન ટેકનોલોજી સેન્ટરમાં ડેવલપ કરાઈ છે. કંપનીને પ્રિ-ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળી છે, અને હવે તે માનવ પર ટ્રાયલ કરવા માટેની વેક્સિનની બેચ તૈયાર કરી છે. ઝાયડસ કેડિલાએ કહ્યું છે કે પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન સૌથી સુરક્ષિત મનાય છે. કંપનીનો દાવો છે કે તેમને ક્લિનિકિલ ટ્રાસ્ટમાં ઈમ્યૂનિટી ટેસ્ટમાં સારા પરિણામો હાંસલ કર્યા છે. હવે માનવ પરીક્ષણમાં કેવું પરિણામ મળે છે તેના પર સમગ્ર દેશની નજર છે.

ABOUT THE AUTHOR

...view details