ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટમાં માફી માગી

ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુજરાત હાઇકોર્ટે બાર એસોસીએશનના પ્રમુખ યતિન ઓઝાની બિન શરતી માફીનો ગુજરાત હાઈકોર્ટે અસ્વીકાર કર્યો હતો, જે બાદ યતિન ઓઝાએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી હતી જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પહેલા અમે કોઈપણ નિર્દેશ આપશું નહી.

By

Published : Sep 18, 2020, 10:44 PM IST

Supreme Court
યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટમાં માફી માગી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ યતિન ઓઝાની બિન શરતી માફીનો ગુજરાત હાઈકોર્ટે અસ્વીકાર કર્યો હતો, જે બાદ યતિન ઓઝાએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અરજદાર યતિન ઓઝાને પોતાનો પક્ષ અને વાત મુકવાની તક મળશે. હાઈકોર્ટ જો સજા નક્કી કરશે તો તેની સામે અપીલ પણ દાખલ કરી શકાય છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ થશે.

ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, યતિન ઓઝા ગેરવર્તન બદલ હંમેશા કોર્ટ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે. ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે યતિન ઓઝનું સિનિયર પદ ખેંચી લેતા તેમણે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ બિન-શરતી માફી માગી લીધી છે.

યતિન ઓઝાએ કોર્ટને કહ્યું કે, તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, યતિન ઓઝા દ્વારા આક્ષેપ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો એ યોગ્ય નથી. યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે માફી માગી લીધી છે. જો કે, કોર્ટે કહ્યું કે વરિષ્ઠ વકીલ જ આવું વર્તન કરશે તો જુનિયરઓમાં કેવો સંદેશો જશે.

સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે યતિન ઓઝા અગાઉ પણ આ પ્રકારની માફી માંગી ચુક્યો છે તેમછતાં વારંવાર આ પ્રકારની ભૂલ કરે છે. સુપ્રીમ કોર્ટે યતિન ઓઝાને હાઇકોર્ટ સમક્ષ ફરીવાર માફીનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે યતિન ઓઝાના માફીનામાને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય લેવાનો ગુજરાત હાઈકોર્ટને આદેશ કર્યો છે.

યતિન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, વકીલોની પીડાને લીધે તેઓ ભાવનાત્મક થઈ આવું બોલી ગયા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાવના બીજા સ્વરૂપમાં પણ વર્ણવી શકાય છે. ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ યતિન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના તેમના સિનિયર વકીલ તરીકેના પદને પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે યતિન ઓઝાના વર્તનની ગંભીર નોંધ લેતા કહ્યું કે માત્ર માફી પત્રથી કામ ચલાવી લેવાશે નહી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને તેને આધાર રાખીને 32 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા યતિન ઓઝાનું સિનિયર પદ પરત ખેંચી લેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં યતિન ઓઝા તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે જે ટિપ્પણી કરી છે એ ન્યાયપાલિકા કે ન્યાયાધીશ વિરુદ્ધ નહીં પરંતુ રજીસ્ટ્રીની કામગીરી અને તેમાં થતા ભ્રષ્ટાચાર વિશે કરી છે.

નોંધનીય છે કે, આ અંગે યતિન ઓઝાએ પાંચ જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. યતિન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ આ અંગેની તપાસ કરાવી હતી. જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા હતા. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનું ફગાવી દીધું હતું. યતીન ઓઝાએ પાંચ જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે, ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details