અમદાવાદ: સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદથી સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે, સરકારના દ્વારા મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સેનિટાઇઝર ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એમાં ૬૦ થી ૭૦ ટકા આલ્કોહોલ આવતું હોય છે. જેથી ભક્તોમાં દ્વિધા હોય છે, તો એના નિવારણ માટે શું કરી શકાય કે આઇસોપ્રોપાલ નામનું સેનિટાઇઝર આવે છે. જેની અંદર નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આલ્કોહોલ હોતું નથી અને બીજું એવું કરી શકાય કે સાબુથી હાથ ધોઈ મંદિરમાં પ્રવેશ આપવો જોઈએ અથવા તો ફટકડીના પાણીથી હાથ ધોઈ ને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં.
ભક્તોની દ્વિધા: સેનેટાઈઝરમાં આલ્કોહોલ આવતો હોવાથી મંદિરે દર્શન કરવા જવા કે કેમ? - ahmedabadnews
સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે સંક્રમણ ન ફેલાય તેવાં હેતુથી સરકાર દ્વારા દેશના તમામ મંદિરો સહિત ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. લોકડાઉન-4 બાદ સરકારે અનલોક-1ની જાહેરાત કરી હતી. જેના બીજા તબક્કામાં શરતોને આધીન છૂટછાટ આપી દેશભરના ધાર્મીક સ્થળો સહિત મંદિરો ફરી ખોલવાની મંજૂરી આપી છે.

etv bharat
સેનેટાઈઝરમાં આલ્કોહોલ આવતો હોવાથી મંદિરે દર્શન કરવા જવા કે કેમ ?
જો કે, અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભાગના પંથો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ, વડલાસ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ, કાળુપુર સહિતનાં તમામ પંથોના મંદિરો નહી ખુલે. સ્વામિનારાયણ સંપ્રદાયના બધાં જ મંદિરો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.