- 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી
- રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માહિતી પ્રદાન કરતા પોસ્ટરો શહેરમાં લાગ્યા
- પોસ્ટરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મત આપવા લોકોને પ્રેરણા અપાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે અમદાવાદમાં મતદાન જાગૃતિ અંગેનાં પોસ્ટર લાગ્યા
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ મતદારોમાં જાગૃતિ પ્રસરાવવા માટે પોસ્ટરની મદદ લીધી છે. અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળો પર ચૂંટણી અંગેની પ્રાથમિક માહિતી દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં મતદાન જાગૃતિ અંગેનાં પોસ્ટર લગાવવામાં આવ્યા
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી દીધી છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીઓને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે. રાજ્યમાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રજામાં મત આપવા અંગેની જાગૃતિ ફેલાવવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.